________________
દશા-૪
[
૨૧
|
ચોથી દશ
ચોથી દશાઃ ગણિસંપદા RE/Zzzzzzzzzzz આઠ પ્રકારની ગણિસંપદા - | १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं-इह खलु थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता । कयरा खलु ता थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता ? इमा खलु ता थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता, तं जहा
૨. કયારસંપિયા, ૨. સુસંપા, રૂ. રીરસંપા, ૪. વળHપયા, . वायणासंपया, ६. मइसंपया, ७. पओगमइसंपया, ८. संगहपरिण्णा णामं अट्ठमा સપયા | ભાવાર્થ :- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે. પ્રશ્ન- હે ભગવાન! તે સ્થવિર ભગવંતોએ કઈ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે? ઉત્તર- તે સ્થવિર ભગવંતોએ આઠ પ્રકારની ગણિસંપદા આ પ્રમાણે કહી છે, જેમ કે– (૧) આચાર સંપદા, (૨) શ્રુતસંપદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનાસંપદા, (૬) મતિસંપદા, (૭) પ્રયોગસંપદા, (૮) સંગ્રહપરિજ્ઞા સંપદા. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં સ્થવિર ભગવંતોએ કહેલી આઠ પ્રકારની ગણિ સંપદાઓનો નામોલ્લેખ છે. સાધુઓના સમુદાયને ગણ અથવા ગચ્છ કહેવામાં આવે છે. ગણના અધિપતિ સાધુ ગણિ અથવા ગચ્છાધિપતિ કહેવાય છે. તેઓના ગુણો, તેમની સંપદા-સંપત્તિ છે. જર-ઝવેરાત ગૃહસ્થોની સંપત્તિ છે તેમ ગુણો ગણિની સંપત્તિ છે. ગણિ આ સંપદાથી સંપન્ન હોય, તે જરૂરી છે. ગુણો વિના ગણિ ગણની રક્ષા કરી શકતા નથી અને ગણની રક્ષા કરવી તે તેઓનું મુખ્ય કર્તવ્ય છે. આ સૂત્રમાં ગણિની સંપત્તિ જેવા મુખ્ય આઠ ગુણોના નામોનું કથન છે. (૧) આચાર સંપદા:| २ से किं तं आयारसंपया ? आयारसंपया चउव्विहा पण्णत्ता, तं जहासंजम-धुव-जोग-जुत्ते यावि भवइ, असंपग्गहिय-अप्पा, अणियत-वित्ती, वुड्डसीले यावि भवइ । से तं आयारसंपया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! આચાર સંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર– આચાર સંપદાના ચાર પ્રકાર છે, યથા- (૧) સંયમમાં ધ્રુવ યોગ યુક્તતા-સંયમની ક્રિયાઓમાં હંમેશાં લીન રહેવું (૨) અસંપ્રગૃહીતાત્મા- અહંકાર રહિત રહેવું (૩) અનિયતવૃત્તિતા- એક જ સ્થાને સ્થિર ન રહેવું અર્થાત્ અપ્રતિબદ્ધ ભાવે વિચરણ કરવું (૪) વૃદ્ધશીલતાવૃદ્ધોની જેમ ગંભીરસ્વભાવવાળા થવું.