SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) દોષ સેવન :– ઉત્સર્ગ કે અપવાદ માર્ગનું, સંયમ સમાચારીનું ઉલ્લંઘન કરવું, વ્રત ભંગ કરવો, તે દોષ–સેવન છે. (૪) પ્રાયશ્ચિત્ત :– · દોષ વિશુદ્ધિ માટેની પ્રક્રિયાને પ્રાયશ્ચિત્ત કહે છે. કયા દોષની શુદ્ધિ માટે કયુ અને કેટલું પ્રાયશ્ચિત્ત આપવું, તેનું વિસ્તૃત વર્ણન છેદ સૂત્રોમાં છે. પ્રાયશ્ચિત્તના દસ ભેદનું વિસ્તૃત વિવેચન શ્રી સ્થાનાંગ સૂત્રના દશામા સ્થાનમાં છે. ત્રણ પ્રકારના કલ્પ :– સંયમી જીવનના કલ્પ, નિયમો(મર્યાદા)ના ત્રણ પ્રકાર છે– (૧) વિધિ કલ્પ :– વિધેયાત્મક નિયમો, જેમ કે સાધુને શેષ કાળમાં ગ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પે છે. જે સૂત્ર પ્રયોગમાં પ્બર્ શબ્દ પ્રયોગ હોય, તે વિધિકલ્પ છે. (૨) નિષેધ કલ્પ :– નિષેધાત્મક નિયમો, જેમ કે– સાધુને ચાતુર્માસના વિહાર કરવો કલ્પતો નથી. જે સૂત્ર પ્રયોગમાં નો પ્બરૂ શબ્દપ્રયોગ હોય, તે નિષેધકલ્પ છે. (૩) વિધિ–નિષેધ કલ્પ :- વિધિ-નિષેધાત્મક નિયમો, જેમ કે સાધ્વીને વિધિપૂર્વક ટુકડા કરેલા અર્થાત્ શસ્ત્ર પરિણત તાલ પ્રલંબ કલ્પે છે પરંતુ અખંડ તાલ પ્રલંબ કલ્પતા નથી. જે સૂત્ર પ્રયોગમાં રુફ, જો પ્પરૂ બંને સૂત્ર પ્રયોગ હોય, તે વિધિ-નિષેધ કલ્પ છે. શાસ્ત્રમાં પ્રદર્શિત કેટલાક વિધિ-નિષેધો સાધુને માટે, કેટલાક સાધ્વીને માટે છે અને કેટલાક વિધિ-નિષેધો બંને માટે સમાન છે. આ રીતે છેદ સૂત્રોમાં ઉત્સર્ગ, અપવાદ, વિધિ-નિષેધ આદિ વિધાનો દ્વારા સાધુના જીવનોપયોગી સેંકડો સૂચનો છે, તેથી છેદ સૂત્રોને શ્રમણ જીવનની આચાર સંહિતા અથવા દંડ સંહિતા પણ કહી શકાય છે. ત્રણ છેદ સૂત્રોનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે— (૧) શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર :- આ પ્રથમ છેદ સૂત્ર છે. છેદ સૂત્રના વર્ણ વિષયને જોતાં સ્પષ્ટ થાય છે કે છેદ સૂત્રના બે કાર્ય છે– (૧) સાધકને દોષ સેવનથી બચાવવા અને (૨) પ્રમાદવશ સેવન કરેલા દોષની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કરવું. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં સાધકને દોષથી બચવા માટેના વિષયોનું પ્રતિપાદન છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં તેનું બીજું નામ ‘આચાર દશા’ પ્રાપ્ત થાય છે. સમવાયાંગ સૂત્ર તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કલ્પ અને વ્યવહાર સૂત્રની પૂર્વે આયાવસા નામ પ્રાપ્ત છે. તેમાં સાધુના આચાર શુદ્ધિ માટેના વિષયોની મુખ્યતા છે તેથી ‘આચાર દશા’ નામ વિષયને અનુરૂપ 58
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy