________________
| ८८
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
जस्स णं देवाणुप्पिया ! सेणिए राया सणं कंखति, जस्स णं देवाणुप्पिया ! सेणिए राया दसणं पीहेइ, जस्स णं देवाणुपिप्या ! सेणिए राया दसणं पत्थेइ, जस्स ण देवाणुप्पिया ! सेणिए राया दसणं अभिलसइ, जस्स णं देवाणुप्पिया ! सेणिए राया णामगोत्तस्सवि सवणयाए हट्ठतुट्ठ जाव विसप्पमाणहियए भवइ । से णं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जावसवण्णू सव्वदरिसी पुव्वाणुपुट्वि चरमाणे गामाणुगाम दूइज्जमाणे सुहसुहेणं विहरमाणे इहमागए इह संपत्ते, इह समोसढे, इहेव रायगिहे णगरे बहिया गुणसिलए चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ___ तं गच्छामो णं देवाणुप्पिया ! सेणियस्स रण्णो एयमटुं णिवेदेमो-'पियं भे भवतु' त्ति कट्ठ अण्णमण्णस्स वयणं पडिसुर्णेति, पडिसुणेत्ता जेणेव रायगिहे णयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता रागगिह-णगरं मज्झमज्झेणं जेणेव सेणियस्स रण्णो गिहे जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेणियं रायं करयलं परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु जएणं विजएणं वद्धावेति, वद्धावित्ता एवं वयासीजस्स ण सामी ! दसण कखइ जाव से ण समणे भगव महावीरे गुणसिलए चेइए जाव विहरइ । एयण्णं देवाणुप्पियाणं पियं णिवेदेमो । पियं भे भवतु । ભાવાર્થ :- કાલે અને તે સમયે ધર્મની આદિ કરનારા તીર્થકર ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં થાવ તપ-સંયમથી આત્માને ભાવિક કરતાં ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા તે સમયે રાજગૃહ નગરના ત્રિકોણ-ત્રણ રસ્તા મળતા હોય, ચોક-ચાર રસ્તા મળતા હોય, ચાર મુખવાળા સ્થાનોમાં, રાજમાર્ગોમાં, ભગવાન પધાર્યાની ચર્ચા(કોલાહલ) થવા લાગી. પરિષદ દર્શન કરવા ગઈ થાવત્ લોકો હાથ જોડી વિનયપૂર્વક પ્રભુની પર્યાપાસના કરવા લાગ્યા.
તે સમયે શ્રેણિક રાજાના પ્રમુખ અધિકારીઓ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આદક્ષિણા-પ્રદક્ષિણા પૂર્વક ત્રણવાર વંદન નમસ્કાર કરીને ભગવાનના નામ-ગોત્ર પૂછીને સ્મૃતિમાં ધારણ કર્યા અને એકત્રિત થઈને એકાંત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પરમાં આ પ્રમાણે વાતચીત કરી.
હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા જેમના દર્શનની ઇચ્છા રાખે છે, જેમના દર્શનની સ્પૃહા કરે છે, જેમના દર્શનની પ્રાર્થના કરે છે, જેમના દર્શનની અભિલાષા સેવે છે, જેમનું નામ-ગોત્ર સાંભળતા જ ખૂબ પ્રસન્ન થાય છે, તે ધર્મના આદિકર, તીર્થકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી સુખપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરતા અહીં પધાર્યા છે, અહીં આવ્યા છે, અહીં બિરાજમાન થયા છે, અહીં રાજગૃહનગરની બહાર ગુણશીલઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ-ઉતરવાની આજ્ઞા ગ્રહણ કરી, સંયમ તપથી આત્માને ભાવિત કરતાં બિરાજમાન છે.
' હે દેવાનુપ્રિયો! આપણે શ્રેણિકરાજા પાસે જઈએ અને તેમને નિવેદન કરીએ કે આપના આ પ્રિય સમાચાર છે. પરસ્પરની ચર્ચા વિચારણાના અંતે એકમત થઈને તેઓ રાજગૃહનગરમાં આવ્યા, નગરની