SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કળા ન જાણે તો અધૂરો કહેવાય, એક ધર્મકળાનો જાણનારો સર્વ કળા ન જાણતો હોય તો પણ તે પૂર્ણ કહેવાય છે. કથન મુજબ આ ત્રિરત્ન છેદ સૂત્ર સંપૂટ સાચા શ્રમણની જંગમ પ્રતિમા દેહરૂપ દેવાલયમાં ગુપ્તેન્દ્રિયના ગભારામાં કેવી શોભાયમાન હોય છે તેની ઝાંખી કરાવે છે. અધમનો ઉદ્ધાર કરે છે, પડેલાને ઊભા કરે છે, મૂર્છિતને જાગૃત કરે છે, મરેલાને જીવતા કરે છે, શૂર-નૂર પૂરી સાચો શ્રમણ બનાવે છે. અનાદિની કુટેવ, કુસંસ્કાર, કુચેષ્ટાઓ છોડાવી શ્રમણત્વની સુટેવ, સુસંસ્કાર, સુચેષ્ટા શીખવાડે છે. ચાલો... સાધક વૃંદ ! આપણે સાચા શ્રમણ બનવા અરિહંત પરમાત્મારૂપી પિતા અને કરુણારૂપી માતાથી જન્મ પામેલા નિગ્રંથ પ્રવચનકુમાર જેઓ ધર્મકળાનું શિલ્પ જાણનાર છે, તે શિલ્પીની શિલ્પ શાળામાં જઈએ. જ્યાં અનેક શિલ્પીઓ માનવરત્નની શ્રમણ પ્રતિમા બનાવી રહ્યા છે, તેનું દિવ્ય દર્શન કરીએ. મારી આ વાત સાંભળી, શિલ્પ શાળા જોવા ઉત્સુક બનેલી અમારી સાધક મંડળી એકાએક તૈયાર થઈ ગઈ. અમોએ અમારા મનોરથ સારથિને બોલાવીને કહ્યું, હે સારથે ! તમે ધર્મરથ તૈયાર કરો. સારથિએ તે વાત સ્વીકારી અને આનંદિત થયો. તે ધર્મરથ તૈયાર કરી હાજર થયો. અમો બધા ધર્મરથમાં બેસી શિલ્પશાળામાં આવ્યા. શિલ્પશાળા ચારિત્રાચારની સુગંધથી મહેંકી ઊઠી હતી. ત્યાં જબરજસ્ત મહાવ્રતનું મેદાન હતું. ફરતો અણુવ્રતનો વરંડો હતો. એક સુંદર મધ્ય ભાગમાં સમિતિનું સિંહાસન હતું. તેની અંદર મુલાયમ મધ્યસ્થ ભાવનાની ગાદી હતી. તેના ઉપર નિગ્રંથ પ્રવચનકુમાર આરુઢ થયા હતા. તેની સામે અનેક શિલ્પીઓ બેઠા હતા. નિગ્રંથ પ્રવચન કુમાર તેઓને બોધ આપી રહ્યા હતાં. તેમનો બોધ આ પ્રમાણે હતો, હે દેવાણુપ્પિયા ! આ લોકની અંદર અઢીદ્વીપ છે તેમાં મનુષ્યનાં ૧૦૧ ક્ષેત્ર છે. તે એકસો એક ક્ષેત્રમાંથી પંદર ક્ષેત્રો ચિંતામણિ મનુષ્ય રત્નોથી ભરેલા છે. તે માનવ રત્નોને તમે પરીક્ષા કરીને લઈ આવો અને લાવ્યા પછી તમારી દીર્ઘદષ્ટિથી, ગંભીર ઉપયોગથી તપાસ કરીને જુઓ, આરપાર જોશો તો તેમાં શ્રમણાકૃતિ નજરે પડશે, અથવા શ્રમણો-પાસકની આકૃતિ નજરે પડશે. તે આકૃતિ જોઈને તે રત્નને ગ્રહણ કરી તમારી પ્રજ્ઞા છિણીથી શ્રમણાકૃતિ કે ઉપાસકાકૃતિ બંનેને ઉપસાવવા હું આદેશ આપું, તે પ્રમાણે તે કરતા જશો, તો તમે સિદ્ધહસ્ત ધર્મ કલાકાર બની જશો. શરત એટલી જ છે કે તમે તમારી સ્વછંદમતિનો ઉપયોગ વચ્ચે ન જ લાવતા. તમારો મત-આગ્રહ વગેરે તમારા માનસમાં જે કાંઈ ભર્યું છે, તે બધું જ કાઢીને મારી મતિ પ્રમાણે કાર્ય કરશો તો જ 34
SR No.008811
Book TitleAgam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages234
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vyavahara
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy