________________
આવશયક–૫: પ્રાકથન
:
૧૨૯ ]
ચિંતન.
ગોચરી, પ્રતિલેખન, પરિષ્ઠાપન કે સ્વાધ્યાયાદિ આવશ્યક ક્રિયાઓ પછી તે ક્રિયાઓના અતિચારોના ચિંતન માટે કાયોત્સર્ગ થાય, તે અતિચાર ચિંતનરૂપ છે અને રાઈ પ્રતિક્રમણમાં અંતિમ કાર્યોત્સર્ગ તપચિંતન રૂપ હોય છે. તવં પડવાન, પર્વ ત© વિવિના I શ્રી ઉત્તરા. ૨૬/૫૧.
- સાધુ કાયોત્સર્ગમાં આજે ક્યા તપનો સ્વીકાર કરવો, તેની ચિંતવના કરે. તે ઉપરાંત ક્યારેક તીર્થકરોની નામ સ્તુતિ, ગુણસ્તુતિ રૂપ લોગસ્સ આદિનો કાર્યોત્સર્ગ પણ કરે છે.
આ રીતે સાધકના પોતાના લક્ષ્ય પૂર્વક આ આત્યંતર તપની સાધના કરે છે.
તસ ૩ત્તરી રી... પાઠ કાયોત્સર્ગનું પ્રતિજ્ઞા સૂત્ર છે. પાંચમા આવશ્યકના આ પાઠમાં કાયોત્સર્ગનું પ્રયોજન, કાયોત્સર્ગના આગાર, તેની કાલ મર્યાદા અને પ્રતિજ્ઞા વિધિનું સ્પષ્ટીકરણ છે. હારિભદ્રીય વૃત્તિને અનુસરતા પ્રસ્તુત પાંચમા આવશ્યકમાં પ્રમાણે (૧) મ મતે (૨) છામિ કામ 13 સંક્ષિપ્ત પ્રતિક્રમણ સૂત્ર (૩) તાસ ૩ત્તરી કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્ર અને (૪) ચતુર્વિતિ તંવ-તોરસ, આ ચાર પાઠનો સમાવેશ કર્યો છે.