SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક-૪ ૯૭ | તીર્થકર દેવોનું ગ્રહણ કરે છે. આ ચોવીસ તીર્થકરો પ્રતિ આદર કે શ્રદ્ધાભાવ ન રાખવો, તેમની આજ્ઞાનું પાલન ન કરવું ઇત્યાદિ અતિચારોનું આ સૂત્ર દ્વારા પ્રતિક્રમણ કરવામાં આવે છે. પચીસ ભાવના :|३६ पण्णवीसाए भावणाहिं । ભાવાર્થ - પચીસ ભાવના સંબંધી દોષોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન : - - પંચ મહાવ્રતની પુષ્ટિ માટે તે તે મહાવ્રતને અનુરૂપ પાંચ-પાંચ ભાવનાઓનું કથન છે. સાધુ પ્રતિદિન પોતાના ચિત્તને તે ભાવનાથી ભાવિત કરીને મહાવ્રતોને પુષ્ટ અને પરિપક્વ કરે છે. છદ્મસ્થતાના યોગે પોતાના ચિત્તને તે ભાવનાઓથી ભાવિત ન કર્યું હોય, ભાવનાઓ પ્રતિ ઉપેક્ષા ભાવ રાખ્યો હોય, તો તે અતિચારોનું, તજ્જન્ય દોષોનું પ્રતિક્રમણ આ સૂત્ર દ્વારા કરવામાં આવે છે. (૧) અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ (૧) ઈર્યા ભાવના-હંમેશાં ઉપયોગ પૂર્વક ગમનાગમન કરવાની ભાવના રાખવી. (૨) મન ભાવના- મનને શુભ તથા સંયમી જીવનને યોગ્ય વિચારોમાં તલ્લીન રાખવું (૩) વચન ભાવના- ભાષા દ્વારા સંયમીને શોભે એવા સુખું વાક્ય બોલવા અર્થાત્ સંયમીને જેવી ભાષા બોલવાની આજ્ઞા છે, તેવી ભાષા બોલવી (૪) આદાન ભંડ-મત્ત નિક્ષેપ ભાવના-ગૃહસ્થને ત્યાંથી લાવેલા ભંડોપકરણ વિવેક પૂર્વક લેવા તથા મૂકવા. (૫) આલોકિત પાન ભોજનએષણા સમિતિથી લાવેલા આહાર-પાણીને પ્રકાશિત સ્થાનમાં જઈને વાપરવા. કેટલાક આચાર્યો પ્રથમ વ્રતની પાંચ ભાવનામાં આલોકિત પાન-ભોજન ભાવનાના સ્થાને એષણા ભાવનાનું કથન કરે છે અર્થાત્ એષણા સમિતિના ૪ર દોષોથી રહિત નિર્દોષ આહાર-પાણી ગ્રહણ કરવા. (૨) સત્ય મહાવ્રતની પાંચ ભાવના– (૧) અનુચિત્ય ભાષણ- વિચાર્યા વગર બોલવું નહિ (૨) ક્રોધથી અસત્ય બોલવું નહીં. (૩) લોભથી અસત્ય બોલવું નહીં. (૪) ભયથી અસત્ય બોલવું નહીં. (૫) હાસ્યથી અસત્ય બોલવું નહીં. સંક્ષેપમાં ક્રોધ, લોભ, ભય અને હાસ્ય, આ ચારે અસત્ય ભાષણના કારણોનો ત્યાગ કરવો. () અસ્તેય મહાવતની પાંચ ભાવના– (૧) અવગ્રહાનુજ્ઞાપન- અવગ્રહ અર્થાત્ વસતિરહેવાની જગ્યા. નિર્દોષ સ્થાનકને સારી રીતે જોઈને તેના સ્વામીની આજ્ઞા લઈને રહેવું, (૨) અણયાચેલી વસ્તુ લેવી નહિ. વસતિ કે સ્થાનમાં આજ્ઞા લઈને ઊતર્યા પછી તુણ આદિ જે વસ્તુની શ્રમણને જરૂરિયાત હોય તેને આજ્ઞાપૂર્વક ગ્રહણ કરવી, (૩) સ્થાનકને સમારવું નહિ– જે સ્થાન કે વસતિમાં સાધકને રહેવાનું છે તેમાં પોતાની સગવડતા માટે આરંભ, સમારંભ આદિ કાર્યો કરાવવા નહીં, (૪) વડિલોનો વિનય તથા વૈયાવચ્ચ કરવી, (૫) સાધુ સાધ્વીમાં સંવિભાગ કરવો અર્થાત્ આહાર આદિ લાવ્યા પછી સહુને સરખી રીતે સરખા ભાગે મળે એવી ભાવના રાખી સંવિભાગ કરવો. આવશ્યક ટીકા તથા શ્રી આચારાંગ સૂત્રના પંદરમા અધ્યયનમાં ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે– (૧) વિચાર કરીને પરિમિત અવગ્રહ-સ્થાનની યાચના કરવી, (૨) ગુરુજનો આદિની આજ્ઞા પ્રાપ્ત કરીને આહાર-પાણી કે અન્ય ઉપધિનો ઉપભોગ કરવો, (૩) ક્ષેત્ર-કાલની મર્યાદાપૂર્વક સ્થાનની યાચના કરવી, (૪) વારંવાર ગુરુની આજ્ઞાપૂર્વક અવગ્રહ, પાટ, પાટલાદિ વસ્તુની યાચના કરવી, (૫) સાધર્મિકો પાસેથી વિચારપૂર્વક કોઈ
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy