________________
|
૫૮ ]
શ્રી આવશ્યક સૂત્ર
‘' ત્તિ મિડ-૧૬વરે “છા' ત્તિ વોલન છથળે દોડ fમ ર મ મેરા ડિઓ, “રુ' રિ તુ છામિ અખાઈ ૬૮૭ી क त्ति कडं मे पावं, ड त्ति डेवेमि तं उवसमेणं રસો મિચ્છી પથરત્નો સમાસે ૬૮૭ી આવશ્યક નિર્યુક્તિ મિ રિ મિલ મતો નિ મૃદુતા, કોમળતા તથા અહંકાર રહિતતાનો સૂચક છે. છા રિ વોલાળ છાયો હો ! છ દોષોને ઢાંકવા- ત્યાગ કરવા માટે છે. મિ ત્તિ અ મેરા ફિ નિ સંયમ મર્યાદામાં દઢ રહેવા માટે છે. કુત્તિ દુાંછામિ અUT I ડુ પાપ કર્મ કરનારા પોતાના આત્માની નિંદા માટે છે.
ત્તિ ૬ ને પાવં કૃત પાપોની સ્વીકૃતિ માટે છે. ત્તિ ડેનિ ૩વસને કાર પાપોના ઊપશમ માટે, નષ્ટ કરવા માટે છે.
આ રીતે સાધક અંતઃકરણ પૂર્વક નમ્રતાથી, સરળતા પૂર્વક, સંયમ મર્યાદામાં દઢ રહેવા માટે, પોતાના પાપને પાપરૂપે સ્વીકારીને દુષ્કૃત્યોની નિંદા, ગહપૂર્વક પ્રાયશ્ચિત્ત કરે છે, ત્યારે તે પાપનો ઉપશમ અર્થાત્ નાશ થાય છે.
પૂર્વાચાર્યો એ જીવોના ભેદ, હિંસાના ભેદ, હિંસાના કારણો વગેરેની ગણના કરીને મિચ્છામિ દુક્કડમ્ના ૧૮,૨૪,૧૨૦ પ્રકાર બતાવ્યા છે
સંસારી જીવોના ૫૩ પ્રકાર છે. પ૩ પ્રકારના જીવોની અભિયાથી જીવિયાઓ વવરોવિયા સુધીની દશ પ્રકારે હિંસા થાય, તેથી તેને દશ ગુણતા ૫૩ x ૧૦ = ૧૩૦ ભેદ થાય છે.
આ દશવિધ વિરાધના રાગ અને દ્વેષના કારણે થાય છે, તેથી ઉપરના ભેદોને બેથી ગુણતા ૫,૩૦ × ૨ = ૧૧,ર૬૦ ભેદ બને છે.
તે વિરાધના મન, વચન અને કાયાથી થાય છે, તેથી ત્રણથી ગુણતા ૧૧૨૬૦ x ૩ = ૩૩,૭૮૦ ભેદ થાય છે. તે હિંસા સ્વયં કરવી, કરાવવી અને અનુમોદના આપવી એમ ત્રણ કરણથી થાય છે, તેથી તેને ત્રણથી ગુણતા ૩૩,૭૮૦ x ૩ = ૧,૦૧,૩૪૦ ભેદ થાય છે. આ સર્વને ભૂત-ભવિષ્ય અને વર્તમાન રૂપ ત્રણ કાળથી ગુણતા ૧,૦૧,૩૪૦ x ૩ = ૩,૦૪,૦૨૦ ભેદ થાય છે.
તે દોષનું અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ અને નિજ આત્મા, આ છ ની સાક્ષીથી મિચ્છામિ દુક્કડમ્ કરવાનું છે, તેથી તેને છથી ગુણતા ૩,૦૪,૦૨૦ x ૬ = ૧૮,૨૪,૧૨૦ ભેદ થાય છે.
સાધકે શુદ્ધ હૃદયથી પ્રત્યેક પ્રાણી સાથે મૈત્રી ભાવ પૂર્વક કૃત પાપોની અરિહંત આદિની સાક્ષીએ આલોચના કરી, પોતાના આત્માને પવિત્ર બનાવવો જોઈએ. આ રીતે આ પાઠ ગમનાગમન દ્વારા થતી હિંસા દોષની વિસ્તૃત આલોચના માટે છે. તેમાં આલોચના પદ્ધતિથી, પશ્ચાતાપની વિધિથી, આત્મનિરીક્ષણની શૈલીથી આત્મ વિશુદ્ધિનો માર્ગ દર્શાવ્યો છે. તે હૃદયની કોમળતાનું જ્વલંત ઉદાહરણ છે. સાધકની પ્રત્યેક ક્રિયામાં ગમનાગમન થાય જ છે, તેથી ગોચરી, સ્વાધ્યાય, પ્રતિલેખન, પરઠવું આદિ કોઈ પણ ક્રિયાના પ્રતિક્રમણ સમયે કાયોત્સર્ગમાં રૂંછામિ લિમિડે..... નો પાઠ બોલાય છે.