SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ | શ્રી આવશ્યક સૂત્ર કહેતા પાછા પગલેથી પાછો ફરે અને અવગ્રહથી બહાર નીકળી જાય આ નિષ્ક્રમણ આવશ્યક છે. અવગ્રહની બહાર આવી ગુરુદેવની તરફ મુખ રાખી, બંને હાથ જોડી, સ્થિર ઊભા રહીને સ્થિત થઈને વિવામિ થી લઈને સંપૂર્ણ ખમાસમણાનો પાઠ પરિપૂર્ણ કરે. બીજી વારના વંદનમાં ગુરુની સમક્ષ સંપૂર્ણ પાઠ બોલવાનો હોય છે, તેથી બીજીવાર નિષ્ક્રમણ આવશ્યક થતો નથી. ત્રણ ગતિઃ- શિષ્ય જ્યારે અવગ્રહમાં પ્રવેશ કરે છે ત્યારે નિદિ શબ્દનું ઉચ્ચારણ કરે છે અર્થાતુ હવે હું મન, વચન અને કાયાની અન્ય બધી જ પ્રવૃત્તિઓનો નિષેધ કરું છું અને ત્રણે ય યોગોને એક માત્ર વંદન ક્રિયામાં જ નિયુક્ત કરું છું. આ શબ્દોનું ઉચ્ચારણ એકાગ્ર ભાવનું તથા ત્રણે ય ગુપ્તિઓના આવશ્યકનું નિદર્શન કરે છે. મનોતિ - મનમાં એક માત્ર વંદનાનો ભાવ જીવંત રાખી અન્ય સંકલ્પોને નિવૃત્તિ આપી દેવી, તે મનોગુપ્તિ આવશ્યક છે. અનેક વિકલ્પોથી ઘેરાયેલા મનથી વંદના કરવાથી કર્મનિર્જરા થતી નથી. વચન ગુપ્તિ– વંદના કરતા સમયે વચ્ચે કાંઈ બોલવું નહીં, વચનનો વ્યાપાર વંદન ક્રિયાના પાઠમાં જ જોડી રાખવો તથા અખ્ખલિત, સ્પષ્ટ અને સ્વર પ્રમાણે ઉચ્ચારણ કરવા, તે વચનગુપ્તિ છે. કાય ગુપ્તિશરીરનો વ્યાપાર વંદન ક્રિયા સિવાયના અન્ય કાર્યોમાં ન જોડવો તથા શરીરને આગળ પાછળ હલાવ્યા વગર પૂર્ણ રૂપથી નિયંત્રિત રાખવું, વંદના સિવાય સર્વ ક્રિયાઓનો નિષેધ કરવો, તે કાયગુપ્તિ છે. ચાર શિર :- અવગ્રહમાં પ્રવેશ કરી શિષ્ય ક્ષમાપના કરે ત્યારે ગ્રની બરાબર સમ્મુખ ઊભા રહે છે, તેથી શિષ્ય તથા ગુરુના, એમ બે શિર પરસ્પર એક બીજાની સન્મુખ હોય છે. આ પ્રથમ ખમાસમણાના બે શિર સંબંધી આવશ્યક છે. આ જ પ્રમાણે બીજા ખમાસમણાના બે શિર સંબંધી આવશ્યક પણ સમજી લેવા જોઈએ. આચાર્ય હરિભદ્ર કૃત આવશ્યક નિર્યુક્તિમાં, આચાર્ય અભયદેવ સૂરિકત સમવાયાંગ સૂત્રની વૃત્તિમાં આ જ પ્રમાણે ચાર શિરોનમનનું કથન છે. આચાર્યશ્રી સિદ્ધસેન સૂરિજી શિષ્યના જ ચાર શિરોનમન આ પ્રમાણે કહે છે– (૧) એક શિરોમન સંeli શબ્દ બોલતા (૨) બીજુ ક્ષમાયાચના કરતા હામિ માસમણો શબ્દનું ઉચ્ચારણ કરતા. આ જ રીતે બીજીવાર વંદન કરતાં સમયે બે શિરોનમન થાય છે. આ રીતે કુલ ચાર શિરોનમન થાય છે. આ રીતે બે વાર વંદના કરવાથી વંદન વિધિના ૨૫ આવશ્યક કાર્ય પૂર્ણ થાય છે. છ સ્થાનકઃ- પ્રસ્તુત છામિ નામ સૂત્રની સ્પષ્ટતા માટે છ સ્થાનનું કથન છે. (૧) ઇચ્છા નિવેદન સ્થાન-છામિલનાસનો વહિંગવાજાપનિલહિયાપશબ્દના ઉચ્ચારણ દ્વારા વંદન કરવાનું નિવેદન કરાય છે, આ શિષ્યને માટે ઇચ્છા નિવેદનરૂપ પ્રથમ સ્થાનક છે. શિષ્યના ઇચ્છા નિવેદનના ઉત્તરમાં ગુરુદેવ પણ વધેન અથવા છતાં કહે છે. આ ગુરુદેવ તરફથી ઉત્તર રૂપ પ્રથમ સ્થાનક છે. (૨) અવગ્રહ પ્રવેશ યાચના- ત્યારપછી શિષ્ય ગણુનાગદ ને મિ ૩જા કહીને અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માંગે છે. આ શિષ્ય તરફથી આજ્ઞા યાચના રૂપ બીજું સ્થાનક છે. તેના જવાબમાં ગુરુદેવ પણ અાગામ કહીને આજ્ઞા આપે છે. આ ગુરુદેવ તરફથી આજ્ઞાપ્રદાન રૂપ બીજું સ્થાનક છે. (૩) શરીર સુખશાતા પૃચ્છાનિરહિઅોછાયંસંwiણમણિજ્ઞો તિમોગનિંતાનું
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy