SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ દશા–૧ 3 કરવા (૧૯) સવારથી સાંજ સુધી ખા-ખા કરવું (નવકારશી આદિ પચ્ચક્ખાણ ન કરવા) (૨૦) એષણા અસમિતિ એટલે અનેષણીય આાર ગ્રહણ કરવો. સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિના સ્થાન કર્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અસમાધિ ઉત્પન્ન કરે તેવા વીસ સ્થાનોનું કથન છે. અસમાધિ સ્થાન એટલે આત્મવિરાધના કે સંયમ વિરાધના થાય તેવી પ્રવૃત્તિઓ. ચિત્તની એકાગ્રતાથી મોક્ષ માર્ગમાં, સંયમ માર્ગમાં સ્થિત રહેવું, તે સમાધિ છે અને તેનાથી વિપરીત અર્થાત્ સંયમ માર્ગથી વ્યુત થવાય તેવા કાર્યને અસમાધિ કહે છે. જેમ બીમારી શરીરમાં શિથિલતા લાવે છે, તેમ કેટલીક પ્રવૃત્તિઓ સંયમને શિથિલ બનાવે છે, સંયમને શિથિલ કરે તેવા કાર્યને અસમાધિ સ્થાન કહે છે. સંયમને દૂષિત કરે તેવા અસંખ્યાત અસંયમ સ્થાનો હોવાથી અસંખ્યાત અસમાધિ સ્થાનો છે. અહીં સ્થવિર ભગવંતોએ મુખ્ય વીસ અસમાધિ સ્થાનોનું કથન કર્યું છે. અસમાધિસ્થાન તે ઉત્તરગુણ સંબંધિત દોષો છે. સુર્ય મે.....ધમલવાયું – મેં સાંભળ્યું છે કે તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે અત્યં ભાસદ અહીં, સુપ્ત નાંમંતિ ાનપરા પિતળ । સાસપલ્સ હિતાર્, તો મુાં પવતી । – ચૂર્ણ. અરિહંત ભગવંત અર્થરૂપે દેશના આપે છે અને ગણધરો શાસનના હિત અર્થે તેને સૂત્ર રૂપે ગૂંથે છે. તે બાર અંગ રૂપ આગમો ભગવાન યિત અને ગણધર દ્વારા સંકલિત છે, આ રીતે મેં સાંભળ્યું છે એટલે સુધર્માસ્વામી કહે છે કે મેં તે ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે. તથાપ્રકારનું સૂત્રકારનું કથન છે. થરાદ મળવતહિં.....પળા :- સ્થવિર ભગવંતોએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે. અહીં સ્થવિર શબ્દનો અર્થ વ્યાપક છે. ગણધર, ચૌદપૂર્વધર કે દશ પૂર્વધરને સ્થવિર કક્ષા છે, તેથી સ્પષ્ટ થાય છે કે આ દશાશ્રુતસ્કંધસૂત્ર શ્રુતકેવળી સ્થવિર આચાર્ય ભદ્રબાહુ સ્વામી દ્વારા સંકલિત છે. ઘેરા પુન ાળધરા મદ્રવાહુ વા । માવંત કૃતિ અતિશય પ્રાપ્તાઃ । -ચૂર્ણિ. થેરા શબ્દથી અહીં ગણધર અથવા ભદ્રબાહુ સ્વામીનું ગ્રહણ થાય છે. તેઓ અતિશયને પ્રાપ્ત હોવાથી સૂત્રકારે તેમના માટે ભગવંત વિશેષણનો પ્રયોગ કર્યો છે. તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે, તેવો પ્રયોગ ન કરતાં પ્રસ્તૃતમાં સ્થવિર ભગવંતોએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે, તેવો શબ્દપ્રયોગ કર્યો છે, તેનું કારણ એ છે કે સ્થવિર શ્રુતકેવળીના વચન પણ ભગવાનના વચન તુલ્ય હોય છે. શ્રુતકેવળીના વચન ભગવાનની જેમ સમ્યક હોય છે, તે પ્રતીતિ કરાવવા જ સૂત્રકારે તથાપ્રકારનો શબ્દપ્રયોગ કર્યો છે. વીસ અસમાધિ સ્થાન – (૧) જલદી-જલદી ચાલવું :– અતિ શીઘ્ર ગતિએ ચાલવાથી ઈર્યા સમિતિમાં ઉપયોગ રહેતો નથી, તેથી અનેક પ્રાણીઓની હિંસા થાય છે, પડી જવાથી કે અથડાય જવાથી સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. (૨) અપ્રમાર્જન–પોંજ્યા વિના ચાલવું :– જે સ્થાનમાં અંધારું હોય, જે સ્થાનમાં અથવા રસ્તા આદિમાં કીડી આદિ જીવો વધુ સંખ્યામાં હોય તેવા કોઈ પણ સ્થાનમાં દિવસે કે રાત્રે પોંજયા વિના ચાલવાથી જીવોની હિંસા થાય છે અને સાધુને દોષ લાગે છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy