SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ એમ વિચારી આ શ્રમણ પ્રતિમાનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. હવે આવે છે– બૃહત્કલ્પ સૂત્ર : બહ સમય બાદ પ્રવચનકમાર પધાર્યા અને સીધા શ્રમણ વર્ગના સંઘ સમક્ષ ઉપદેશ આપતા સંબોધન કર્યું– પ્રિય સાધકવૃંદ! તમારે સાધક દશાની જંગમ પ્રતિમાથી હાલતા ચાલતા દેહ દેવાલયની છ ક્રિયા કરવી પડશે. તે ક્રિયા સક્રિયા–ધર્મ ક્રિયા બનવી જોઈએ. એક બાજુ તમે સાધુ ધર્મનો સ્વીકાર કર્યો છે. તો બીજી બાજુ તમારી ક્રિયા શુષ્ક ક્રિયા ન થવી જોઈએ, તે માટે સ્થવિર ભગવંતોએ સાધક જીવો માટે બૃહત્કલ્પની રચના કરીને શ્રમણ સંસ્કૃતિનો સંદેશ સંપુટ સમર્પણ કર્યો છે. તે તમારી પાસે રજુ કરું છું, એમ કહી તે અરિહંત પરમાત્મા તથા કષ્ણાદેવીના સુપુત્ર નિગ્રંથ પ્રવચન કુમાર આહ્વાદ ભાવમાં ઝૂલતા બહુધા સાધક આત્મા ઉજ્જવળ પરિણામવાળા બની પુદ્ગલાનંદીપણું છોડી પ્રાયશ્ચિત્ત કરી જાગૃત બની ગયા હતા. તેઓ બધાને તથા બાવીસ શિલ્પીઓને સાથે લઈને પ્રવચન કુમાર મહાવ્રતનાં મેદાનમાં સભા ભરીને બેઠા, તેને સાધક વર્ગ સામે જોઈને ઉદ્ધોધન કર્યું. તમે આઠ અંગ સંપદાથી શોભી રહ્યા છે. તમો દેહને દેવાલય બનાવી આત્મ દેવને ઉજળા કરી રહ્યા છો. દેવાલયમાં ત્રિરત્નથી શોભતી તમારી શ્રમણ પ્રતિમા જ્યાં સુધી મોબાઈલ બની, મંગલ પરમાણુથી વાસિત થઈ ધરતીને ઘૂસરિત કરે ત્યાં સુધી આહાર, વિહાર, નિહાર, ઊઠવું, ઊભા રહેવું, ચાલવું, સૂવું, બોલવું, તે સર્વે ક્રિયા યોગ્ય અને સાત્વિક, નિર્વિકારી હોવી જરૂરી છે. તેવી સામગ્રી ભરેલો આ બૃહત્કલ્પ ગ્રંથ હું તમને અર્પણ કરું છું. તેમાં તમારે માટે બધા નિયમો છે જેમ કે- તાલપ્રલંબ – કાચા ફળ, સચેન્ન ફળ હોય તો તમોને કલ્પના નથી, પરંતુ અચેત્ત થઈ ગયેલા હોય, તે લેવા હોય તો લઈ શકે છે સાધ્વીઓએ આખી ચીજ અખંડ ન લેવી જોઈએ. મનમાં વિકારનું સ્મરણ મોહરાજાનો ઉદય કરાવે છે. તમે જે દેવાલયમાં વસો છો, તે દેહ દેવાલયમાં તમારી સાથે અરે... પાસે જ, તે જગ્યામાં જ મોહ રાજા રહે છે. જેથી ચેતીને ચાલવું પડે છે. બૃહતું એટલે મોટી મોટી આચાર વિધિ દર્શાવી ચેતવણી આપી છે. તમે જ્યાં વિહાર કરીને જાઓ તે સ્થાનમાં ધાન્ય વેરાયેલું પડ્યું હોય, ખાદ્ય પદાર્થો હોય, સચેત પાણીના ઘડા ભરેલા હોય તથા ધર્મશાળા જેવા અસુરક્ષિત સ્થાનમાં કેટલા દિવસ રહી શકાય, તદવિષયક વર્ણન તથા વિવિધ પરિસ્થિતિમાં શય્યાતર પિંડની ગ્રાહ્યતા 42
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy