SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ખૂબ તેજસ્વી બની ગયા હતા. પ્રતિમાઓએ પંચાંગ પ્રણામ કર્યા અને કહ્યું કે અમને ઉપદેશ આપો. પ્રવચનકુમારે ઉપદેશ આપ્યો. પ્રભુ મહાવીર અરિહંત પરમાત્માનાં જન્મથી લઈને મોક્ષ પામવાના પાંચ (છ) કલ્યાણકનું વર્ણન કરી પ્રભુની કઠોર સાધના ભરેલું આઠમી દશાનું વ્યાખ્યાન કર્યું. પ્રભુએ પૂર્વભવના બાંધેલા કર્મના ઉદયનો સ્વીકાર કરી, પ્રતિક્રિયા કર્યા વિના કેટલી સહનશીલતાથી કર્મ ભોગવીને તેઓ ભગવાન બની ગયા તેનો ઉપદેશ આપ્યો અને કહ્યું હવે તમે જે શરીરનાં સ્થાનમાં રહી જે ઉપાસના કરી રહ્યા છો તે તમારો દેહ દેવાલય બની ગયો છે. તેમાં તમે પ્રતિષ્ઠિત થઈને રહો છો પણ કર્મ રાજા મોહકર્મની ફોજ લઈ તમારી સામે આવશે અને મોહોત્પાદક શબ્દો બોલાવવાની કોશિષ કરશે. ત્રીસ પ્રકારની લાલચથી તમને લલચાવશે, તમો જરાય લલચાશો નહીં, તો જીવન જીતી જશો. નહીં તો દેહ દેવળ કચરાવાળું કરી ઉકરડો બનાવી દેશે માટે કષાય મોહનીયથી બચજો. તે તમે નવમી દશામાંથી સજાગપણે જાગૃત બની વાંચીને અવધારી લેશો. તેવા કાર્યમાં ક્યારેય ક્રિયાશીલ બનતા નહીં હોને ? ઉપરાંત પાંચેય ઇન્દ્રિય તમારી સજાગ બની ગઈ છે. તેમાં ચક્ષુઇન્દ્રિય રૂપ જોઈને કામી બનીને નિદાન ન કરી બેસે તેનો ખાસ ખ્યાલ રાખજો. ખુદ ભગવાનની હાજરીમાં શ્રેણિક રાજા તથા ચેલણા દેવીના રૂપ જોઈને સાધુ-સાધ્વીઓએ નિદાન કર્યા હતાં. તે નિદાન કરવાથી શું ગેરલાભ થાય છે તે નિદાનના અનેક પ્રકાર દર્શાવી, સમજાવી નિદાન છોડાવવા ભગવાને નિગ્રંથોને નિગ્રંથીઓને આલોચના કરાવી શુદ્ધ કર્યા હતા, તેનું જ્ઞાન તમે દસમી દશાથી વાંચી લેજો અને આ શિલ્પીઓને તમે તમારી પાસે સદા રાખજો જેથી તમારું રક્ષણ થાય. આ દશાશ્રુતસ્કંધનો બોધ પૂર્ણ થયો. હવે દેહ દેવાલયમાં શું કરવું જોઈએ તેની વાત અવસરે કરીશ. વાચક વર્ગ ! આપ સમજી ગયા હશો ! આ છેદ સૂત્ર છે. તેમાં દસ અધ્યયન હોવાથી દશ શબ્દ વપરાયો છે. તેમાં અનેક સંદેશા લિપિ બદ્ધ થયેલા છે, તેથી શબ્દનો સ્કંધ બની ગયો છે. શ્રુત-સાંભળવું. દસ અધ્યયનના સ્કંધ બનેલા શબ્દોને સાંભળીને તમે તમારી દશા(અવસ્થા) સુધારી લઈને વ્યવસ્થિત બનો તેવો બોધ આપ્યો છે. તે દસ દશા સાધક વર્ગ ઉપર ઉતારી છે. સાધક સ્વચ્છ સાધના કરે તો તેની સાધનાનું સાધ્ય સિદ્ધ થાય છે. સામાયિક ચારિત્રમાં જે કંઈ દોષના ભાંગા-છિદ્ર પડે છે તેને પ્રાયશ્ચિત્ત દ્વારા સાંધી દેવામાં આવે છે તેને છેદ સૂત્ર કહેવાય છે માટે શ્રમણ અવસ્થા ધારણ કર્યા પછી અતિચાર દોષને સાંધીને અવસ્થા સુધારી પોતાની પ્રતિમાને સ્વચ્છ કરવી જોઈએ, 41
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy