SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક ૨૫૫ | |१६ भत्त-पाण-पडियाइक्खियं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे સિયા | ભાવાર્થ:- ભક્ત પ્રત્યાખ્યાની ચાવજીવનના અનશનના પ્રત્યાખ્યાન કરનારા ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિઅલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. १७ अट्ठाजायं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए। अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- પ્રયોજનાવિષ્ટ-શિષ્યપ્રાપ્તિ, પદ પ્રતિષ્ઠા આદિ પ્રાપ્તિની તીવ્ર ઇચ્છાથી વ્યાકુળ થયેલા ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં બાર પ્રકારની વિભિન્ન અવસ્થાઓવાળા સાધુઓની સેવાનું કથન છે. સંયમી જીવનમાં સેવાભાવ તે મુખ્ય ગુણ છે. વૈયાવચ્ચએ એક પ્રકારનું આત્યંતર તપ છે. સંયમી સાધકની સેવાથી તેના સંયમપાલનની અનુમોદનાનો મહામૂલો લાભ મળે છે. ગચ્છમાં રહેતા સર્વ સાધુઓએ પરસ્પર એકબીજાને સહાયક થવું જરૂરી છે. શ્રી ઠાણાંગ સુત્રના ત્રીજા સ્થાનમાં તથા શ્રી ભગવતી સુત્ર શતક-૮૮માં નવદીક્ષિત, તપસ્વી અને ગ્લાન, આ ત્રણ પ્રકારના સાધુને અનુકંપાને યોગ્ય કહ્યા છે, તેથી કોઈ પણ અવસ્થામાં રહેલા સાધુ જ્યારે ગ્લાન થાય(બીમાર પડે ત્યારે તેની સેવા કરવી, તે સહવર્તી સાધુઓનું કર્તવ્ય છે અને તેના માટે સેવાની યથોચિત વ્યવસ્થા કરાવવી તે ગણાવચ્છેદક સાધુની ફરજ છે. પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારનો આશય એ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં કે પ્રાયશ્ચિત્ત વહનકાલમાં ગ્લાન સાધુની ઉપેક્ષા ન કરવી કે તેને ગણથી પૃથક કરવા ન જોઈએ. જો તેની સેવા કરનાર સાધુ થાકી ગયા હોય, ખેદનો અનુભવ કરતા હોય, તો ગણાવચ્છેદકે અન્ય સેવાભાવી સાધુઓ દ્વારા તેની સેવાની વ્યવસ્થા કરાવવી જોઈએ. પિતા- અગ્લાન ભાવે. સેવાનું કાર્ય અગ્લાનભાવે-કોઈ પણ પ્રકારના ખેદ વિના થાય, તો જ તે આવ્યંતરતપ અને નિર્જરાનું કારણ બને છે. ભાષ્યકારે નિતા શબ્દનો અર્થ “રુચિપૂર્વક અથવા ઉત્સાહપૂર્વક સેવા કરવી અથવા સ્વયંનું કર્તવ્ય સમજીને સેવા કરવી, આ પ્રમાણે કર્યો છે. ગ્લાન સાધુની સેવાની યોગ્ય વ્યવસ્થા હોય તો ગચ્છની તથા જિનશાસનની પ્રતિષ્ઠા વધે છે. તેમજ ધર્મની પ્રભાવના થાય છે. યોગ્ય વ્યવસ્થાના અભાવમાં રુણ સાધુની સેવા કરવા, કરાવવામાં
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy