SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] શ્રી બૃહકલ્પ સૂત્ર સમિતિની વિઘાતક છે. (૪) ચિડીયાપણું એષણા સમિતિનું વિઘાતક છે. (૫) અતિલોભ, નિષ્પરિગ્રહ રૂપ મુક્તિમાર્ગનો નાશક છે. (૬) ચક્રવર્તી, વાસુદેવ આદિના પૌગલિક ભોગો સંબંધિત નિદાનો મોક્ષના વિનાશક છે. ભગવાને અનિદાનતાને સર્વત્ર પ્રશસ્ત કહી છે. વિવેચન : વખ૪ પમિથુ :- કલ્પ – સાધુનો આચાર, પલિમંથ-નષ્ટ કરનાર ચેષ્ટાઓ. સાધ્વાચારના કે આચાર મર્યાદાના ઘાતક તત્ત્વોને પલિમંથ કહે છે. શ્રેષ્ઠ વસ્તુના નાશકને પલિમંથ કહે છે. જેમ દહીંનું મંથન કરી માખણને ફેંકી દે અને છાશનો સંગ્રહ કરે, તેમ સંયમ રૂપ માખણને ફેંકીને અસંયમરૂપ છાશનો સંગ્રહ કરનાર પલિમથુ કહેવાય છે. સંયમ ઘાતક અનેક પ્રવૃત્તિ છે, પરંતુ સૂત્રકારે અહીં મુખ્ય છ પ્રવૃત્તિઓનું કથન કર્યું છે. (૧) કૌચિત :- કુત્સિત શારીરિક ચેષ્ટાઓને, કુચેષ્ટાને કૌકુચિત કહે છે, તેના ત્રણ પ્રકાર છે. સ્થાન, શરીર અને ભાષા. નટની જેમ વિષમ સ્થાનમાં ઊભા રહેવું, બેસવું, સૂવું, હરવું, ફરવું વગેરે ક્રિયાઓ કરવી તે “સ્થાન-કૌચિત’ કહેવાય છે. નિપ્રયોજન હાથ, પગ, મોટું વગેરે અંગોને હલાવવા, ભાંડ આદિની જેમ ચેષ્ટાઓ કરવી તે “શરીર-કૌકુચિત છે. હાસ્ય ઉત્પાદક વચન બોલવા, પશુપક્ષીઓની નકલ કરવી, લોકોને હસાવવા માટે અનાર્ય દેશની ભાષા બોલવી, વિભિન્ન દેશવાસી સ્ત્રી-પુરુષોના વાણી-વિલાસની નકલ કરવી, તે ‘ભાષા-કૌચિત’ છે. ઉક્ત સર્વ પ્રકારની કુચેષ્ટાઓ સાધુ માટે નિષિદ્ધ છે, તે કુચેષ્ટાઓથી સંયમનો ઘાત થાય છે. (૨) મૌખરિક :- મુખર એટલે વાચાળ. વાચાળ વ્યક્તિને મૌખરિક કહે છે. વિચાર્યા વિના બોલે કે પ્રમાણથી વધારે બોલે કે ગમે તેમ બોલે તે અન્યને દુશ્મન બનાવે છે. વાચાળતાના કારણે અસત્ય-ભાષણની પણ સંભાવના રહે છે, તેથી મૌખરિકતા સત્યની ઘાતક છે. (૩) ચક્ષુ લોલુપ -જે સાધુ ચક્ષુ લોલુપી હોય, ચારે બાજુ દષ્ટિ ફેરવ્યા કરે, આજુબાજુના દશ્ય જોવામાં આસક્ત બને, લોભામણા દશ્યો અને સ્ત્રી, પુરુષોના ગમનાગમનની ક્રિયાને જોવામાં તલ્લીન બની જાય તે ઈર્ષા સમિતિનું સમ્યક્ પ્રકારે પાલન કરી શકતા નથી. તેથી ચક્ષુલોલુપી ઈર્યાસમિતિનો ઘાતક બને છે. તેમાં છ કાય જીવોની અને સંયમની વિરાધના થાય છે. (૪) તિતિક - વસ્તુ પ્રાપ્ત ન થાય તો ખિન્ન બની તણતણાટ કે બકવાસ કરે, તેને તિતિણક કહે છે. તનતનાટ કરવાથી એષણાનો ઘાત થાય છે. સાધુને આહાર, ઉપધિ અને શય્યા, આ ત્રણ વસ્તુની આવશ્યક્તા છે. તે ન મળે તો ખેદ પામનાર સાધક એષણાની શુદ્ધિ કરી શકતા નથી. આવી સ્થિતિમાં તે દીન બની એષણીય, અનેષણીયની પરવા કર્યા વિના જ વસ્તુ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. તેથી તણતણાટ કરવાના સ્વભાવવાળા સાધુ એષણાસમિતિના ઘાતક થાય છે. (૫) ઇચ્છાલોભિક :- ઇચ્છા અને લોભ-તુષ્ણાની માત્રા વધવાથી સંતોષનો ઘાત થાય છે. તેના દ્વારા નિર્લોભતા અને નિષ્પરિગ્રહતારૂપ મોક્ષ માર્ગનો ઘાત થાય છે. () ભિંધ્યા નિદાન - ભિંધ્યા-લોભ અને નિદાન-પ્રાર્થના, અભિલાષા. લોભથી થતી પ્રાર્થના
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy