SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદેશક-૫ ૨૦૫ ] પાછા મોકલી દેવા જોઈએ અથવા જે ગણમાંથી તે આવ્યા હોય તે ગણના સાધુઓને જે રીતે વિશ્વાસ રહે તે રીતે કરવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં કલેશ કરીને આવેલા સાધુ પ્રતિ અન્ય ગણના સાધુનું કર્તવ્ય સમજાવ્યું છે. જો કોઈ સાધુ ક્રોધિત થઈને પોતાનો ગણ છોડીને અન્યગણમાં આવે, તો તે ગણના વિરોએ તેને ઉપદેશ આપીને શાંત કરવા જોઈએ અને પાંચ દિવસની દીક્ષાનો છેદ વગેરે યોગ્ય પ્રાયશ્ચિત્ત આપીને તેને પહેલાંના ગણમાં પાછા મોકલવા જોઈએ, જેથી તે ગણના સાધુઓને વિશ્વાસ આવી જાય કે હવે આ સાધુનો ક્રોધ ઉપશાંત થઈ ગયો છે. ઉપાધ્યાય કે આચાર્ય ક્રોધિત થઈને અન્યગણમાં આવે તો તે ગણના સ્થવિરો તેઓને પણ બોધદાયક વચનોથી શાંત કરે અને ઉપાધ્યાયની દશ દિવસની અને આચાર્યની પંદર દિવસની દીક્ષાનું છેદન કરી પહેલાંના ગણમાં પાછા મોકલવા જોઈએ. આ વિષયમાં ભાષ્યકારનું કથન છે કે પોતાના ગણને છોડીને અન્યગણમાં આવેલા સાધુ જો સમજાવવા છતાં પણ ફરી પોતાના ગણમાં જવા ન ઇચ્છે તો ગણના સ્થવિર સાધુઓ સામાન્ય સાધુની પાંચ અહોરાત્રિનો, ઉપાધ્યાયની દશ અહોરાત્રિનો અને આચાર્યની પંદર અહોરાત્રિનો દીક્ષા છેદ કરીને પોતાના ગણમાં રાખી શકે છે પરંતુ રાખ્યા પહેલાં શક્ય હોય તો તે ગણના સાધુઓ પાસેથી તેની જાણકારી અને સ્વીકૃતિ પ્રાપ્ત કરી લેવી જરૂરી છે. રાત્રિભોજનના અતિચાર અને પ્રાયશ્ચિત્ત :| ६ भिक्खू य उग्गयवित्तीए अणत्थमिय संकप्पे संथडिए णिव्विइगिच्छे असणं वा जाव साइम वा पडिग्गाहेत्ता आहारमाहरेमाणे अह पच्छा जाणेज्जा- अणुग्गए सूरिए, अत्थमिए वा, से जं च आसयंसि, जं च पाणिसि, जं च पडिग्गहे तं विगिंचमाणे वा, विसोहेमाणे वा णो अइक्कमइ । तं अप्पणा भुंजमाणे, अण्णेसिं वा दलमाणे, राईभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બદ્ધ થયેલા કોઈ સમર્થ સાધુ સૂર્યોદય અથવા સૂર્યાસ્તના વિષયમાં સંદેહ રહિત અર્થાત્ સૂર્યોદય થઈ ગયો છે કે સૂર્યાસ્ત થયો નથી તેવા નિશ્ચયપૂર્વક સાધુ અશન આદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યાર પછી આહાર કરતા સમયે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે તથા મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જો તે આહારને તે સ્વયં વાપરે અથવા અન્ય સાધુને આપે તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક–ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. | ७ भिक्खू य उग्गयवित्तीए अणथमिय संकप्पे संथडिए विइगिच्छासमावण्णे असणं वा जाव साइमं वा पडिग्गाहेत्ता आहारमाहारेमाणे अह पच्छा जाणेज्जा
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy