SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી બૃહત્કલ્પ સૂત્ર કષાયોના ઉપશમની અનિવાર્યતા - २५ भिक्खू य अहिगरणं कट्टु तं अहिगरणं अविओसवेत्ता, णो से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा णिक्खमित्तए वा पविसित्तए वा, बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खमित्तए वा पविसित्तए वा, गामाणुगामं दुइज्जित्तए, गणाओ वागणं संकमित्तए, वासावासं वा वत्थए । जत्थेव अप्पणो आयरिय-उवज्झायं पासेज्जा बहुस्सुयं - बब्भागमं, तस्संतिए આલોત્ત, પહિનમિત્ત, બિવિત્તણ્, નિિહત્તમ્, વિકૃિત્ત૫, વિસોહિત્ત૫, अकरणयाए अब्भुट्ठित्तए, अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जित्तए । सेय सुण पट्ठविए आइयव्वे सिया, से य सुएण णो पट्ठविए णो आइयव्वे सिया । से य सुएण पट्ठविज्जमाणे णो आइयइ, से णिज्जूहियव्वे सिया । ભાવાર્થ :- જો કોઈ સાધુ-સાધ્વીને એકબીજા સાથે કલહ-કલેશ થયો હોય તો પરસ્પર ક્ષમાપના કરીને કલહને ઉપશાંત ન કરે ત્યાં સુધી તેને ગૃહસ્થના ઘરમાં ભોજન-પાણી માટે પ્રવેશ કરવો કલ્પતો નથી, ઉપાશ્રયની બહાર સ્થંડિલ ભૂમિમાં કે સ્વાધ્યાયભૂમિમાં જવું-આવવું કલ્પતું નથી, તેને ગ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પતો નથી, એક ગણથી બીજા ગણમાં સંક્રમણ કરવું અને વર્ષાવાસ રહેવું કલ્પતું નથી. જ્યાં પોતાના બહુશ્રુત અને બહુ આગમના જાણકાર આચાર્ય અને ઉપાધ્યાય હોય તેની પાસે જઈને આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગર્હ કરવી, પાપથી નિવૃત્ત થવું, પાપના ફળથી શુદ્ધ થવું, ફરીને પાપકર્મ ન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થવું અને યથાયોગ્ય તપ રૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો કલ્પે છે. તે પ્રાયશ્ચિત્ત જો શ્રુત અનુસાર અપાય તો તે પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરવું જોઈએ અને શ્રુત અનુસાર ન અપાય તો તે પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરવું ન જોઈએ. શ્રુત અનુસાર પ્રાયશ્ચિત્ત આપવા છતાં સાધુ-સાધ્વી તેનો સ્વીકાર ન કરે, તો તેઓને ગણથી પૃથક્ કરવા જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં તીવ્ર કષાયને આધીન થયેલા સાધુના કર્તવ્યનું નિદર્શન છે. છદ્મસ્થ દશામાં કોઈ પણ નિમિત્તથી કષાયના ઉદયને આધીન થઈ જવાય તો સાધુએ તુરંત પોતાના કષાયોને શાંત કરવા જરૂરી છે. કષાયોની ઉપશાંતિ વિના તેને ગોચરી, સ્વાધ્યાય કે લઘુશંકા નિવારણ આદિ સૂત્રોક્ત કોઈ પણ કાર્ય કરવા કલ્પતા નથી. તે સાધુએ તુરંત આચાર્ય આદિ જે બહુશ્રુત સાધુ ભગવંત હાજર હોય તેની પાસે આલોચના(પ્રાયશ્ચિત્ત) કરીને કલહથી નિવૃત્ત થવું જરૂરી છે. કષાયો શાંત ન થાય ત્યાં સુધી સાધુ સંયમભાવથી વ્યુત થતાં રહે છે અને તે ક્રમશઃ અધિકમાં અધિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, તેથી કષાયોને શાંત કરવા માટે સાધુએ શીઘ્ર સાવધાન થઈ જવું જોઈએ. કોઈ દુરાગ્રહી સાધુ શાંત ન થાય કે આલોચના ન કરે, તો પણ તેને ગચ્છની વ્યવસ્થા માટે પ્રાયશ્ચિત્ત આપી શકાય છે. સમજાવવા છતાં પણ ન સમજે અને પ્રાયશ્ચિત્ત પણ ન સ્વીકારે તો તેને ગચ્છથી જુદા કરવાનું પણ સૂત્રમાં વિધાન છે અર્થાત્ તેની સાથે એક માંડલે આહાર અને વંદના આદિ વ્યવહાર બંધ કરવા જોઈએ.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy