SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ | શ્રી બૃહ૮૯૫ સૂત્ર જે સાધુઓમાં આહાર-પાણી સિવાય અગિયાર વ્યવહાર હોય છે તે પરસ્પર અન્ય સાંભોગિક સાધુ કહેવાય છે. આચાર, વિચાર લગભગ સમાન હોય, તે સમનોશ સાધુ કહેવાય છે. | સમનોજ્ઞ સાધુઓની સાથે જ આ અગિયાર અથવા બાર પ્રકારના વ્યવહાર કરાય છે પરંતુ અસમનોજ્ઞ અર્થાતુ પાર્શ્વસ્થ અને સ્વચ્છેદાચારી સાધુની સાથે આ બાર પ્રકારના વ્યવહાર કરાતા નથી. લોકવ્યવહાર અથવા અપવાદ રૂપે ગીતાર્થ સાધુના નિર્ણયથી તેની સાથે કોઈ પણ વ્યવહાર કરી શકાય છે. અકારણ અથવા ગીતાર્થના નિર્ણય વિના પરસ્પર ઉપરોક્ત વ્યવહાર કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. સાધુઓ દ્વારા સાધ્વીઓની સાથે ઉપરોક્ત બાર પ્રકારના વ્યવહારમાંથી સામાન્ય રીતે (૧) શ્રત (૨) અંજલિપ્રગ્રહ (૩) શિષ્યદાન (૪) અભ્યત્થાન (૫) કૃતિકર્મ અને (૬) કથાપ્રબન્ધ, આ છ વ્યવહાર જ કરાય છે, (૧) ઉપધિ આદાન-પ્રદાન (૨) ભોજન-પાણી આદાન-પ્રદાન (૩) નિમંત્રણ (૪) વૈયાવચ્ચ (૫) સમવસરણ અને (૬) સંનિષધા, આ છ વ્યવહાર અપવાદયુક્ત સ્થિતિમાં જ કરી શકાય છે. પૂર્વના સૂત્રોમાં અધ્યયનના લક્ષ્યથી અલ્પકાલ માટે અન્ય ગચ્છમાં જવાનું કથન છે અને આ સૂત્રોમાં હંમેશ માટે એક માંડલામાં આહાર આદિ સંભોગનો સ્વીકાર કરીને અન્યગચ્છમાં જવાનું વર્ણન છે. તેના માટે આચાર્ય આદિની આજ્ઞા પ્રાપ્ત કરવી અને અન્ય યોગ્ય ભિક્ષુને પદવી દેવી વગેરે વિધિ પૂર્વવતુ જાણવી. આ સૂત્રોમાં આજ્ઞાપ્રાપ્તિ પછી એક વિકલ્પ વધારે છે, અત્યુત્તરિયં ધર્મ-નિયં તમેળા સંયમ સાધના કરતાં સાધુને પ્રતીત થાય કે આ ગણમાં રહેવામાં, એક માંડલામાં આહાર-પાણી કરવામાં કે કુતિકર્મ આદિ આવશ્યક કાર્યો કરવામાં જેટલી ભાવવિશુદ્ધિ થાય છે, જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના થાય છે, તેનાથી વિશેષ આરાધના અન્ય ગચ્છમાં થઈ શકે તેમ છે, તો તે જ્ઞાનાદિની વૃદ્ધિને માટે અન્યગણમાં જવા માટે ઇચ્છે, તો તે જેની નિશ્રામાં રહેતા હોય તેની અનુજ્ઞા લઈને જઈ શકે છે. પરંતુ જે ગચ્છમાં જવાથી સંયમની હાનિ થાય તેવા ગચ્છમાં જવાની જિનાજ્ઞા નથી. સાધુ અન્ય કોઈ પણ કારણથી અન્ય ગચ્છમાં જાય, તો નિશીથ ઉ. ૧માં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આચાર્ય આદિના નેતૃત્વ માટે અન્યગણમાં જવાની વિધિઃ| २१ भिक्खू य इच्छेज्जा अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, णो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । ते य से वियरेज्जा एवं से कप्पइ अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, ते य से णो वियरेज्जा, एवं से णो कप्पइ अण्णं आयरिय-उवज्झायं उदिसावेत्तए । से कप्पइ तेसिं कारणं अदीवेत्ता अण्णं आयरिय-उवज्झायं उदिसावेत्तए, कप्पइ से तेसिं कारणं दीवेत्ता अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । ભાવાર્થ- સાધુ અન્યગણના આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે અથવા તેનું નેતૃત્વ કરવાને માટે) જવા ઇચ્છે તો પોતાના આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્ય ગણ આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી, પોતાના આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછીને અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કહ્યું છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy