SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદેશક-૪ ૧૯૭ | કરવા કહ્યું છે. આચાર્ય યાવતું ગણાવચ્છેદકને પૂછ્યા વિના તેમને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી, આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પ છે. આચાર્યાદિ આજ્ઞા આપે તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પ છે, આચાર્ય આદિ આજ્ઞા ન આપે તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી. તેમાં સંયમધર્મની ઉન્નતિ થતી હોય તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કહ્યું છે, તેમાં સંયમધર્મની ઉન્નતિ થતી ન હોય તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય કે ઉપાધ્યાયને અન્યગણના સાધુઓ સાથે સાંભોગિક વ્યવહાર માટે જવાની વિધિ પ્રદર્શિત કરી છે. મો:- સાધુઓ માંડલામાં એક સાથે બેસે, ઉઠે, આહાર-પાણી વાપરે તથા અન્ય દૈનિક કર્તવ્યોનું એક સાથે પાલન કરે તેને સંભોગ કહે છે અથવા સાધુઓના પરસ્પરના વ્યવહારને સંભોગ કહે છે. સમવાયાંગ સૂત્રના ૧૨મા સમવાયમાં સંભોગના બાર ભેદ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) ઉપધિ – વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો પરસ્પર લેવા-દેવા. (૨) શ્રત – શાસ્ત્રની વાંચના લેવી-દેવી. (૩) ભક્ત-પાન :- પરસ્પર આહાર-પાણી અથવા ઔષધની આપ-લે કરવી. (૪) અંજલિપગ્રહ(હાથ જોડીને) – સંયમ પર્યાયમાં મોટા સાધુઓની પાસે હાથ જોડીને ઊભા રહેવું અથવા તે સામે મળે ત્યારે મસ્તક નમાવીને હાથ જોડવા. (૫) દાન - શિષ્યનું આદાન-પ્રદાન કરવું. () નિમંત્રણ - શય્યા, ઉપધિ, આહાર, શિષ્ય અને સ્વાધ્યાય આદિને માટે નિમંત્રણ આપવું. (૭) અભ્યત્થાન - દીક્ષા પર્યાયમાં જયેષ્ઠ(મોટા) સાધુ સમીપમાં આવે ત્યારે ઊભા થવું. ૮) કતિકર્મ - અંજલિગ્રહણ – આવર્તનપૂર્વક માથુ નમાવીને હાથ જોડી, સૂત્રના ઉચ્ચારણ સહિત વિધિપૂર્વક વંદન કરવા. ૯) વૈયાવચ્ચ - શરીર ચોળવું આદિ શારીરિક સેવા કરવી, આહાર આદિ લાવીને આપવા, વસ્ત્રાદિ સીવવા અથવા ધોવા, મળ-મૂત્ર પરઠવા વગેરે સેવાકાર્ય કરવા. (૧૦) સમવસરણ – એક જ ઉપાશ્રયમાં બેસવું, સૂવું, રહેવું વગેરે પ્રવૃત્તિઓ કરવી. (૧૧) સંનિષધા - એક આસન પર બેસવું અથવા બેસવા માટે આસન આપવું. (૧૨) કથા પ્રબન્ધઃ- ધર્મસભામાં એક સાથે બેસીને અથવા ઊભા રહીને પ્રવચન આપવું. એક ગણના અથવા અનેક ગણોના સાધુઓમાં આ બાર પ્રકારના પરસ્પર વ્યવહાર થતાં હોય, તેઓ પરસ્પર સાંભોગિક સાધુ કહેવાય છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy