SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૪. | ૧૮૭ ] વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં પ્રાપ્ત થયેલા અનેષણીય આહારનો વિવેક પ્રદર્શિત કર્યો છે. સાધુ-સાધ્વી ગવેષણાપૂર્વક એષણીય આહાર જ ગ્રહણ કરે છે, તેમ છતાં ક્યારેક અનેષણીય-દોષિત આહાર ગ્રહણ થઈ જાય, તો તે દોષિત આહાર સ્વયં વાપરે નહીં પરંતુ અનુપસ્થાપિત શૈક્ષને-નવદીક્ષિત સાધુને આપી દે. સંદતર અણુવકુવા - સંયમ સ્વીકાર પછી જ્યાં સુધી વડી દીક્ષા ન થાય, મહાવ્રતનું આરોપણ ન થાય કે મહાવ્રતમાં સ્થાપિત ન થાય, ત્યાં સુધી તે નવદીક્ષિત સાધુ અનુપસ્થાપિત શૈક્ષ કહેવાય છે. તેવા અનુપસ્થાપિત નવ દીક્ષિત સાધુને અસાવધાનીથી ગ્રહણ થયેલો અનેષણીય અચિત્ત આહાર વાપરવા માટે આપી શકાય છે. | નવદીક્ષિત અનુપસ્થાપિત શિષ્ય પણ સંયમી છે તો પણ તેને ફરીને ઉપસ્થાપન-મહાવ્રતનું આરોપણ થયું ન હોવાથી તેને તે આહાર વાપરવાનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. મહાવ્રતના આરોપણ સમયે જ તેની વિશુદ્ધિ થઈ જાય છે. જો તે સાધુના સંઘાડામાં તેવા નવદીક્ષિત શિષ્ય ન હોય તો તે દોષયુક્ત આહાર સ્વયં વાપરે નહીં કે અન્યને આપે નહીં, પરંતુ પ્રાસુક અચિત્ત ભૂમિમાં સૂત્રોક્ત વિધિથી પરઠી દે. કલ્પ-અકલ્પ સ્થિત સાધુઓ માટે ઔદેશિક આહાર વિવેક - १४ जे कडे कप्पट्ठियाणं कप्पइ से अकप्पट्ठियाणं, णो से कप्पइ कप्पट्ठियाणं । जे कडे अकप्पट्ठियाणं णो से कप्पइ कप्पट्ठियाणं, कप्पइ से अकप्पट्ठियाणं । कप्पे ठिया कप्पट्ठिया, अकप्पे ठिया अकप्पट्ठिया । ભાવાર્થ :- જે આહાર કલ્પસ્થિત સાધુ માટે બનાવેલો હોય તે અકલ્પસ્થિત સાધુને લેવા કહ્યું છે પરંતુ કલ્પસ્થિત સાધુને લેવો કલ્પતો નથી. જે આહાર અકલ્પસ્થિત સાધુ માટે બનાવેલો હોય તે કલ્પસ્થિત સાધુને લેવો કલ્પતો નથી પરંતુ અન્ય અકલ્પસ્થિત સાધુને કહ્યું છે. જે કલ્પમાં સ્થિત છે તે કલ્પસ્થિત કહેવાય છે અને જે કલ્પમાં સ્થિત નથી તે અકલ્પસ્થિત કહેવાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં કલ્પસ્થિત અને અકલ્પસ્થિત સાધુઓને માટે ઔદેશિક આહાર સંબંધી વિવેક પ્રદર્શિત કર્યો છે. ખાવા- કલ્પસ્થિત. જે સાધુ અચલકાદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત છે અને પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મનું પાલન કરે છે તેવા પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓ કલ્પસ્થિત કહેવાય છે. અવિનં- અકલ્પસ્થિત. જે સાધુ અચલકાદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત નથી પરંતુ ચાર પ્રકારના અનિવાર્ય કલ્પ અને સ્વૈચ્છિક છ પ્રકારના કલ્પોમાં સ્થિત છે અને ચાતુર્યામ ધર્મનું પાલન કરે છે તેવા મધ્યવર્તી બાવીસ તીર્થકરોના સાધુ અકલ્પસ્થિત કહેવાય છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy