SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૪ ૧૮૩ ભાવાર્થ:- ત્રણ વ્યક્તિને વાંચના દેવી કલ્પતી નથી, જેમ કે– (૧) અવિનીત– વિનયભાવ ન કરનાર. (૨) વિકૃતિ પ્રતિબદ્ધ– વિગય સેવનમાં આસક્ત (૩) અવ્યુપશમિત(અનુપશાંત)પ્રાભૂત– કલહને શાંત નહીં કરનાર અર્થાત્ અતિ ક્રોધિત. ६ तओ कप्पंति वाइत्तए तं जहा- विणीए, जो विगई-पडिबद्ध, विओसवियपाहुडे । ભાવાર્થ : ત્રણ વ્યક્તિને વાંચના દેવી કલ્પે છે, જેમ કે– (૧) વિનીત– સૂત્રાર્થદાતા પ્રત્યે વંદન આદિ વિનય વ્યવહાર કરનાર. (૨) વિગય-અપ્રતિબદ્ધ–વિગયમાં અનાસક્ત (૩) વ્યુપશમિત(ઉપશાંત) પ્રાભૂત– કલહને શાંત કરનારા. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં વાચનાને યોગ્ય-અયોગ્ય વ્યક્તિનું કથન છે. વાચનાની અયોગ્યતા :– ત્રણ અવગુણના ધારક વ્યક્તિ વાંચનાને અયોગ્ય છે. (૧) અવિળીશ્– અવિનીત :– જે વિનય રહિત હોય, આચાર્ય કે રત્નાધિક સાધુ આદિના આવવા જવા સમયે અભ્યુત્થાન, સત્કાર, સન્માન આદિ યથાયોગ્ય વિનય કરે નહીં, ગુરુની આજ્ઞાનું પાલન કરે નહીં, ગુરુના ઇગિત આકાર–ઈશારાને કે મનોભાવને સમજે નહીં, તે અવિનીત કહેવાય છે. (૨) વિરૂં હિન્દે- વિકૃતિ પ્રતિબદ્ધ :– જે દૂધ, દહીં આદિ રસોમાં આસક્ત હોય અને રસયુક્ત અનુકુળ દ્રવ્યો ન મળવાથી સૂત્રાર્થ આદિના ગ્રહણ કરવામાં મંદ ઉદ્યમી થઈ જાય, તે વિકૃતિ પ્રતિબદ્ધ કહેવાય છે. (૩) અવિઓસવિય પાહુડે- અવ્યુપશમિતપ્રામૃત ઃ– જે અલ્પ અપરાધ કરનાર અપરાધી પર પ્રચંડ ક્રોધ કરતા હોય અને ક્ષમા-યાચના કરે, તો પણ તેના પર વારંવાર ક્રોધ કરતા રહે, તે અવ્યવશમિત પ્રામૃત કહેવાય છે. આ ત્રણ પ્રકારના સાધુ સૂત્રવાચના, અર્થવાચના અને ઉભય વાચનાને અયોગ્ય છે કારણ કે વિનયથી જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અવિનયી શિષ્યને વાચના આપવી વ્યર્થ અથવા નિષ્ફળ છે. ક્યારેક દુષ્ફળ પણ આપે છે. ત્રણ ગુણના ધારક વ્યક્તિ જ વાચનાને યોગ્ય છે. જે વિનયસંપન્ન છે, ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, દૂધ, દહીં આદિ વિગયોના સેવનમાં જેની આસક્તિ નથી અને જે ક્ષમાશીલ છે, તેવા શિષ્યોને જ સૂત્રની, અર્થની તથા બંનેની વાંચના આપવી જોઈએ. તેને અપાયેલી વાચના-શ્રુતનો વિસ્તાર પામે છે, ગ્રહણ કરનારના આ લોક અને પરલોક સુધારે છે અને જૈનશાસનની પ્રભાવના કરે છે. જે ગચ્છપ્રમુખ યોગ્ય-અયોગ્યનો નિર્ણય કર્યા વિના બધાને વાચના આપે છે, તે ગચ્છપ્રમુખ નિશીથ સૂત્ર, ઉદ્દે.-૧૯ અનુસાર પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. શિક્ષાપ્રાપ્તિની યોગ્યતા-અયોગ્યતાઃ ૭ તો કુસળખા પળત્તા, તં નહીં- યુકે, મુદ્દે, વુન્શાહિદ્ ।
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy