SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ | શ્રી બૃહતક૯પ સૂત્ર અનવસ્થાપ્ય - દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં નવમું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે. જે દોષની શુદ્ધિ આઠમા મૂળ પ્રાયશ્ચિત્ત દ્વારા શક્ય નથી. તેને નવમું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તેમાં સાધુને અલ્પ સમય માટે ગૃહસ્થનો વેશ ધારણ કરાવી ત્યાર પછી પુનઃ દીક્ષિત કરાય છે અને તેની સાથે કઠિનતમ તપનું આચરણ કરાવાય છે. (૧) જે સાધુ પોતાના સાધર્મિક સાધુઓના વસ્ત્ર, પાત્ર, પુસ્તક આદિની ચોરી કરે છે. (૨) જે અન્ય ધાર્મિકજનોના અર્થાત્ બૌદ્ધ, સાંખ્ય આદિ મતોના સાધુ આદિના વસ્ત્ર, પાત્ર, પુસ્તક આદિની ચોરી કરે છે. (૩) જે પોતાના હાથેથી બીજાને મારે છે. મુઠ્ઠી, લાકડી આદિથી મારે છે અથવા મંત્ર, તંત્ર આદિથી કોઈને પીડિત કરે છે. આ પ્રકારના દોષ સેવન કરનારને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે છે. પ્રાયઃ પ્રતોમાં હત્યાનં પાઠ છે. શ્રી સ્થાનાંગ સૂત્રના દસમા સ્થાનમાં સ્થાનં પાઠ છે, તેથી અહીં તે પાઠ સ્વીકાર્યો છે. દીક્ષા આદિને અયોગ્ય ત્રણ પ્રકારના નપુંસક - | ૪ તો જે ખંતિ પબ્લાઉત્તપે, તં નહીં- પંડા, વાપ, વીવે ! एवं मुंडावेत्तए, सिक्खावेत्तए, उवट्ठावेत्तए, संभुजित्तए, संवासित्तए । ભાવાર્થ :- ત્રણ વ્યક્તિને દીક્ષા આપવી કલ્પતી નથી, જેમ કે– ૧. પંડક-સ્ત્રી જેવા સ્વભાવવાળા જન્મ નપુંસક ૨. વાતિક-કામવાસનાનું દમન ન કરી શકે તેવા નપુંસક અને ૩. કલબ (અસમર્થ)નપુંસક તે જ રીતે આ ત્રણ વ્યક્તિને મુંડિત કરવા, શિક્ષિત કરવા, મહાવ્રતોમાં ઉપસ્થાપિત કરવા, એક માંડલામાં સાથે બેસી આહાર કરવો તથા સાથે રાખવા કલ્પતા નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં દીક્ષા આદિને અયોગ્ય ત્રણ વ્યક્તિનું કથન છે. ૧.પંડ પડક- જે જન્મથી નપુંસક હોય છે. ૨. વારૂપ–વાતિક- જે વાતરોગી છે અર્થાત્ કામવાસનાનો નિગ્રહ કરવામાં અસમર્થ હોય. ૩. વારે-કલીબ- અસમર્થ અથવા પુરુષત્વહીન કાયર પુરુષ. આ ત્રણે પ્રકારના નપુંસક દીક્ષા દેવાને યોગ્ય નથી કારણ કે તેવી વ્યક્તિઓને દીક્ષિત કરવાથી નિગ્રંથધર્મની નિંદા આદિ અનેક દોષ લાગે છે. જો વ્યક્તિની જાણકારી પ્રાપ્ત કર્યા વિના ઉક્ત પ્રકારના નપુંસકને દીક્ષા દેવાઈ ગઈ હોય અને પછી તેનું નપુંસકપણું જણાય તો તેનું મુંડન ન કરે અર્થાત્ તેના કેશોનો લોચ ન કરે. જો કેશલોચ કર્યા પછી નપુંસકપણું જણાય તો તેને મહાવ્રતોમાં ઉપસ્થાપિત ન કરે અર્થાત્ વડી દીક્ષા ન આપે. જો વડી દીક્ષા આપ્યા પછી તેનું નપુંસકપણું જણાય તો તેની સાથે એક માંડલામાં બેસી આહારપાણી ન કરે. જો ત્યાર પછી તેનું નપુંસકપણું જણાય તો તેની સાથે સૂવા બેસવાનો વ્યવહાર ન કરે. વાંચના લેનારની યોગ્યતા અયોગ્યતા :| ५ तओ णो कप्पंति वाइत्तए, तं जहा- अविणीए, विगई-पडिबद्ध, अविओसवियपाहुडे ।
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy