________________
૧૭૮ |
શ્રી બૃહક૯પ સૂત્ર
પડાવની પાસે ગમનાગમનનો નિષેધ કર્યો છે. પ્રસ્તુત સૂત્ર તેનો અપવાદ સૂચિત કરે છે. ક્યારેક વિહાર આદિમાં તે સેનાના પડાવનું ક્ષેત્ર પાર કરવું જરૂરી હોય, તે પડાવને પાર કરીને ગામની અંદર ગોચરી માટે જવું પડે તેમ હોય તો સાધુએ ભિક્ષા લઈને તુરંત પાછું ફરવું જોઈએ. ગામની અંદર રાત્રિવાસ રહેવું ન જોઈએ, કારણ કે તે સમયે ગામની અંદર અન્ય વ્યક્તિઓના પ્રવેશનો નિષેધ હોય છે ફક્ત સાધુને ભિક્ષા માટે જવાની છૂટ આપી હોય છે. આ પ્રકારની રાજાની આજ્ઞા હોવાથી સાધુ જો તે ગામમાં રાત્રિવાસ રહે, તો તે રાજાજ્ઞા અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે અને તેથી તે પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે.
અવગ્રહક્ષેત્રનું પ્રમાણ:|३३ से गामंसि वा जाव रायहाणिं वा कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सव्वओ समंता सकोस जोयणं ओग्गहं ओगिण्हित्ताणं चिट्ठित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ ગામ યાવત રાજધાનીમાં ચારેબાજુ એક ગાઉ અધિક એક યોજનાનો અવગ્રહ ગ્રહણ કરીને રહેવું કહ્યું છે અર્થાત્ એક દિશામાં અઢી ગાઉ આવવું-જવું કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે અવગ્રહ ક્ષેત્રનું પ્રમાણ નિશ્ચિત કર્યું છે. ઉપાશ્રયની કોઈપણ એક દિશામાં સાધુને અઢી ગાઉ સુધી આવવું જવું કહ્યું છે, તેનાથી વધારે ક્ષેત્રમાં જવું-આવવું કલ્પતું નથી.
જો કે ગોચરી માટે સાધુને બે ગાઉ સુધી જ જવું કહ્યું છે પરંતુ ક્યારેક બે ગાઉ દૂર ગોચરીને માટે ગયેલા સાધુને ત્યાં મળ-મૂત્રની શંકા થાય તો શંકાનું નિવારણ કરવા માટે ત્યાંથી તે અડધો ગાઉ વધારે આગળ જઈ શકે છે, તેથી એક દિશામાં કુલ અઢી ગાઉ ગમનાગમન થાય છે. પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ તેમ બંને દિશાઓના ક્ષેત્રનો યોગ કરતાં પાંચ ગાઉ અર્થાત્ સવાયોજનનું અવગ્રહક્ષેત્ર થાય છે. તેને જ સૂત્રમાં સકાસ યોજન અર્થાત્ એક ગાઉ અધિક એક યોજનાનું અવગ્રહક્ષેત્ર કહ્યું છે.
છે ઉદ્દેશક-૩ સંપૂર્ણ