SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ | ઉદ્દેશક-૩ ૧૭૧ | પછી ગ્લાન સાધુને, ત્યાર પછી થોડી ઉપધિ(વસ્ત્ર)વાળા સાધુને, ત્યાર પછી કર્મક્ષયાર્થ ઉધત સાધુને, ત્યાર પછી જેણે આખી રાત વસ્ત્ર ન ઓઢવાનો અભિગ્રહ લીધો હોય તેવા સાધુને, ત્યાર પછી સ્થવિરને, ત્યાર પછી ક્રમશઃ ગણી, ગણધર, ગણાવચ્છેદક અને અન્ય સાધુઓએ શય્યા સસ્તારક માટે સ્થાન ગ્રહણ કરવું જોઈએ. નવદીક્ષિત અથવા અલ્પ દીક્ષા પર્યાયવાળા સાધુઓને રત્નાધિક પાસે સૂવાનું સ્થાન દેવું જોઈએ, જેથી રાત્રે તેની સાર-સંભાળ કરી શકે. વૈયાવચ્ચ કરનાર સાધુને ગ્લાન સાધુની પાસે સ્થાન દેવું જોઈએ, જેથી તે રોગી સાધુની યથાસમયે સેવા કરી શકે તથા શાસ્ત્ર અભ્યાસ કરનાર શૈક્ષ સાધુને ઉપાધ્યાય આદિ જેની પાસે તે અધ્યયન કરતા હોય તેની પાસે સ્થાન દેવું જોઈએ, જેથી તે જાગતા હોય ત્યારે સ્વયંના પાઠનું પુનરાવર્તન કરવા સમયે તેનો સહયોગ પ્રાપ્ત કરી શકે. આ રીતે સર્વ સાધુઓની અનુકૂળતા જળવાઈ રહે તે પ્રમાણે રત્નાધિકોના ક્રમાનુસાર સ્થાન ગ્રહણ કરવું જોઈએ. ગુરુ પાટ ઉપર બેઠા હોય તો શિષ્ય બાજોઠ ઉપર બેસે, ગુરુ પાટલા ઉપર બેઠા હોય તો શિષ્ય જમીન ઉપર આસન પાથરી બેસે, ગુરુ આસન પાથરી બેઠા હોય તો શિષ્ય જમીન ઉપર બેસે, ગુરુ જમીન ઉપર બેઠા હોય તો શિષ્ય ઊભો રહે, ગુરુ ઊભા હોય તો શિષ્ય હાથ જોડીને ઊભો રહે, આ રીતે શિષ્ય, ગુરુ કરતાં નિમ્ન સ્થાન ગ્રહણ કરે છે. કતિકર્મમાં રત્નાધિકોની પ્રધાનતા :- સવારે, સંધ્યા સમયે પ્રતિક્રમણ આદિ પ્રારંભ કરતાં પહેલાં ગુરુ અને રત્નાધિકોને વંદન કરાય છે તે કૃતિકર્મ કહેવાય છે. તેના બે ભેદ છે– (૧) અભ્યત્થાન અને (૨) વંદન. આચાર્ય, ઉપાધ્યાય આદિ ગુરુજનોના રત્નાધિકોના ગમનાગમન સમયે ઊભા થવું તે અભ્યત્થાન કતિકર્મ છે. સવારે અને સંધ્યાસમયના પ્રતિક્રમણ સમયે તથા ગુરુને પ્રશ્ન આદિ પૂછવા હોય ત્યારે ગુરુજનોને વંદન કરવા, હાથ જોડી મસ્તકે અંજલિ લગાવી નમસ્કાર આદિ કરવા તે વંદન કુતિકર્મ છે. સાધુ-સાધ્વીએ અભ્યત્થાનકૃતિકર્મ અને વંદનકૃતિકર્મમાં રત્નાધિકોને જ પ્રાધાન્ય આપવું જોઈએ. સંક્ષેપમાં સાધુ-સાધ્વીએ સંયમી જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ રત્નાધિકોના ક્રમાનુસાર વિનય પૂર્વક કરવી જોઈએ. ગૃહસ્થના ઘરમાં નિવાસ:२१ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अंतरगिहंसि चिट्ठत्तए वा णिसीइत्तए वा तुयट्टित्तए वा णिदाइत्तए वा पयलाइत्तए वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारमाहरेत्तए, उच्चारं वा पासवणं वा खेलं वा सिंघाणं वा परिट्रवेत्तए सज्झायं वा करित्तए झाणं वा झाइत्तए, काउसग्गं वा ठाणं ठाइत्तए । ____ अह पुण एवं जाणेज्जा- वाहिए जराजुण्णे तवस्सी दुब्बले किलंते मुच्छेज्ज वा पवडेज्ज वा, एव से कप्पइ अतरगिहसि चिट्ठित्तए वा जाव काउसग्गं वा ठाई ठाइत्तए । ભાવાર્થ :-સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થના ઘરની અંદર ઊભા રહેવું, બેસવું, સૂવું, નિદ્રા લેવી,ગાઢ નિદ્રા લેવી, ભોજન, પાણી, મીઠાઈ, મુખવાસ, આ ચારે પ્રકારનો આહાર કરવો; મળ, મૂત્ર, કફ, શ્લેષ્મ આદિ પરઠવા, સ્વાધ્યાય કરવો, ધ્યાન કરવું, કાયોત્સર્ગ કરી સ્થિર થવું કલ્પતું નથી.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy