SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] શ્રી બૃહતક૯પ સૂત્ર અર્થ છે- સર્વ બાજુથી આવવું, ચાતુર્માસ કરવા માટે સાધુ-સાધ્વીઓ કોઈ એક યોગ્ય સ્થાને આવીને સ્થિર થાય છે. તેને પ્રથમ સમવસરણ કહે છે અને વર્ષાકાળ અથવા ચાતુર્માસની સમાપ્તિ પછીના સમયને દ્વિતીય સમવસરણ કહેવાય છે. જે સ્થાને સાધુ અને સાધ્વીઓને ચાતુર્માસ કરવાનું હોય તે સ્થાને આવ્યા પછી આખા ચાતુર્માસ સુધી અર્થાત્ અષાઢ સુદ પુનમથી લઈને કારતક સુદ પુનમ સુધી ગૃહસ્થ પાસેથી વસ્ત્ર ગ્રહણ કરવા કલ્પતા નથી. વર્ષાકાળ પછી બીજા સમવસરણમાં અર્થાત્ માગસર વદ એકમથી, (ગુજરાતી તિથિ પ્રમાણે કારતક વદ-૧) અષાઢ સુદ પુનમ સુધી આઠ મહિના તેની આવશ્યકતા અનુસાર વસ્ત્ર ગ્રહણ કરી શકે છે. રત્નાધિકોની પ્રધાનતા - |१८ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहाराइणियाए चेलाई पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ યથારાત્નિક-ચારિત્રપર્યાયના ક્રમથી વસ્ત્ર ગ્રહણ કરવા કહ્યું છે. | १९ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहाराइणियाए सेज्जा-संथारए पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ ચારિત્રપર્યાયના ક્રમથી શય્યા-સંસ્તારક ગ્રહણ કરવા કહ્યું છે. | २० कप्पइ णिग्गंथाण या णिग्गंथीण वा अहाराइणियाए किइकम्मं करेत्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ ચારિત્રપર્યાયના ક્રમથી વંદન કરવા કલ્પ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુ જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં રત્નાધિકોની પ્રધાનતા પ્રદર્શિત કરી છે. જે સાધુ અને સાધ્વીની ચારિત્રપર્યાય વધારે હોય તેને રાત્વિક અથવા રત્નાધિક કહે છે. ઉપધિ ગ્રહણમાં રત્નાધિકોની પ્રધાનતા - જ્યારે સાધુ અથવા સાધ્વી ગૃહસ્થ પાસેથી વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરે ત્યારે તે વસ્તુને સ્વયં પોતાની માલિકીની કરે નહીં પરંતુ તેને ચારિત્રપર્યાયની જૂનાધિકતાના ક્રમાનુસાર જ ગ્રહણ કરે અર્થાત્ જે સાધુ અથવા સાધ્વી સર્વથી વધારે ચારિત્રપર્યાયવાળા હોય તેને સર્વપ્રથમ વસ્ત્ર પ્રદાન કરે ત્યાર પછી તેનાથી ઓછી ચારિત્રપર્યાયવાળાને અને ત્યાર પછી તેનાથી ઓછી ચારિત્રપર્યાયવાળાને આપે. આ રીતે રત્નાધિકોના ક્રમાનુસાર જ સર્વ ઉપધિ ગ્રહણ થાય છે. વ્યુત્ક્રમથી દેવા અથવા લેવામાં રત્નાધિકોનો અવિનય, આશાતના આદિ થાય છે. તે સાધુની મર્યાદાથી પ્રતિકૂળ છે. વ્યુત્ક્રમથી દેનારા અને લેનારા સાધુ-સાધ્વીઓને માટે ભાષ્યકારે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે. શધ્યા-સંતારક ગ્રહણમાં રત્નાવિકોની પ્રધાનતા :- શય્યાનો અર્થ વસતિ, ઉપાશ્રય, રહેવા માટેનું મકાન કે સ્થાન છે અને સંસ્તારકનો અર્થ છે સાધુ સાધ્વીઓને બેસવા, સૂવા યોગ્ય પાટ, પાટલા, ઘાસ, આદિને તેને પણ ચારિત્રપર્યાયની ન્યૂનાધિકતાના ક્રમથી ગ્રહણ કરવા જોઈએ. નિર્યુક્તિકારે અને ભાષ્યકારે શયા સસ્તારકનાવિધાનમાં અધિક સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તક, આ ત્રણ ગુરુજનોના શય્યા-સંતારક ક્રમશઃ રાખ્યા પછી જ્ઞાનાદિ સંપદાને પ્રાપ્ત કરવા માટે અન્ય ગણના સાધુ આવ્યા હોય તેને શય્યા-સંસ્તારકમાં સ્થાન આપવું જોઈએ. ત્યાર
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy