SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ દશાપ ૩૯ ભગવાને ધર્મનું નિરૂપણ કર્યું, ધર્મદેશના સાંભળ્યા પછી પરિષદ પાછી ફરી. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાધુઓ અને સાધ્વીઓને ‘હે આર્યો !’ આ પ્રમાણે સંબોધન કરીને કહ્યું– જે સાધુ અને સાધ્વીઓ ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આયાણ ભંડ-માત્ર-નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર-પ્રશ્રવણ-ખેલ-સિંઘાણ-જલ્લ પરિષ્ઠાપનાસમિતિનું પાલન કરે છે; મન સમિતિ, વચન સમતિ, કાય સમિતિ; મનગુપ્તિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિથી ગુપ્ત હોય છે, જે ગુપ્તેન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, આત્માર્થી, આત્માનું હિત કરનાર, આત્મયોગી, આત્મપરાક્રમી, પાક્ષિક પૌષધોમાં સમાધિને પ્રાપ્ત અને શુભધ્યાન કરનાર છે, તેઓને અપૂર્વ(પૂર્વે અપ્રાપ્ત) ચિત્તસમાધિના દશસ્થાન પ્રાપ્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ચિત્ત સમાધિના સ્થાન આદિના ઉપદેશના સ્થાન રૂપ નગરીનું અતિદેશાત્મક વર્ણન અને ચિત્ત સમાધિને પ્રાપ્ત કરતાં સાધુઓના વિશિષ્ટ ગુણોનું કથન છે. चित्तसमाहिठाणं :- चित्तं - अंतःकरण विशेषस्तस्य समाधिः समाधानं चित्त समाधिः, प्रशस्त ભાવ: તસ્ય સ્થાનાનિ નિ । અંતઃકરણને ચિત્ત કહે છે, તેના સમાધાન એટલે પ્રશસ્ત ભાવને સમાધિ કહે છે. આ ચિત્ત સમાધિના કારણોને સ્થાન કહે છે અર્થાત્ આત્માના પ્રશસ્ત પરિણામની પ્રાપ્તિના કારણોને ચિત્ત સમાધિના સ્થાન કહે છે. ભગવાને ચંપાનગરીમાં ચિત્ત સમાધિના દસ સ્થાનોનું નિરૂપણ કર્યું છે. પ્રસ્તુત સૂત્રમાં ચિત્ત સમાધિને પ્રાપ્ત કરનાર સાધુ–સાધ્વીઓના કેટલાક વિશિષ્ટ ગુણોનું વર્ણન છે, યથા— ફરિયાલમિયાળ :- ઈર્યાસમિતિવાન. ફરિયા • – ગમન કરવું, સમિતિ – સાવધાનીપૂર્વક, સમ્યગ્ રીતે યતનાપૂર્વક. છકાય જીવોની રક્ષા માટે ધોંસર પ્રમાણ (સાડા ત્રણ હાથ) ભૂમિને જોઈને ચાલનારા. માસાલમિયાળ :– ભાષા સમિતિવાન. સાવધ–પાપકારી ભાષાને છોડીને વિવેકપૂર્વક નિરવધ-નિર્દોષ વચનો બોલનારા. કળાલમિયાળ :- એષણા સમિતિવાન. એષણા – ગવેષણા—શોધ કરવી. બેંતાલીસ દોષ રહિત શુદ્ધ–નિર્દોષ આહારની શોધ કરીને, તેને ગ્રહણ કરનારા. आयाण-भंड-मत्त-णिक्खेवणासमियाणं :- આદાન-ભંડ-માત્ર-નિક્ષેપણા સમિતિવાન. આદાનગ્રહણ કરવું, ભંડ-પાત્ર, માત્ર-માત્રક પાત્ર, નિક્ષેપણા – મૂકવું. સમ્યક્ પ્રકારે પ્રતિલેખન–પ્રમાર્જન કરીને ભંડોપકરણોને લેનારા–મૂકનારા. મુન્નાર-પાલવળ-ઘેલ-સિંધાળ-ગારિટ્ઠાવળિયા મિયાળ :- ઉચ્ચાર-પ્રશ્રવણ-ખેલસિંઘાણ-જલ્લ પરિષ્ઠાપના સમિતિવાન. વડીનીત, લઘુનીત, કફ, મેલ, નાકની લીંટને યતનાપૂર્વક પરઠનારા. મળસમિયાળ :– મન સમિતિવાન. અકુશલ મનનો-મનના વિચારોનો ત્યાગ કરીને કુશલ મનની પ્રાપ્તિ કરનારા, મનની શુદ્ધિ માટે પ્રવૃત્ત થનારા. વયસમિયાળ :– વચન સમિતિવાન. મૃષા, કઠોર, પાપકારી વચનોનો પરિહાર કરીને સમ્યક, સત્યકારી, પ્રિયકારી વચનો બોલનારા.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy