________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વ્યવહારનય પણ નૈગમનયની જેમ જ જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલી આગમતઃદ્રવ્ય સંખ્યાને સ્વીકારે છે.
૪૭૨
સંગ્રહનય એક અનુપયુક્ત આત્માને એક દ્રવ્ય સંખ્યા અને અનેક અનુપયુક્ત આત્માઓને અનેક આગમદ્રવ્ય સંખ્યા રૂપે ન સ્વીકારતા, સર્વને એક જ આગમતઃદ્રવ્ય સંખ્યારૂપે સ્વીકારે છે.
ૠજુસૂત્ર નયની અપેક્ષાએ વર્તમાન કાલીન એક અનુપયુક્ત આત્મા, એક આગમતઃદ્રવ્ય સંખ્યા જ છે. તે ભેદનો સ્વીકાર કરતો નથી.
ત્રણે શબ્દનય અનુપયુક્ત શાયકને અવસ્તુ-અસત્ માને છે. જે જ્ઞાયક છે, તે અનુપયુક્ત–ઉપયોગ રહિત ન હોય અને જે અનુપયુક્ત છે, તે જ્ઞાયક હોઈ શકેનહીં. તેથી આગમદ્રવ્ય સંખ્યાનો સંભવ જ નથી. પૂર્વે આવશ્યકના પ્રકરણમાં નયદષ્ટિએ વિચારણા કરી છે, તેમ જ અહીં સમજવું. અહીં આવશ્યકને બદલે સંખ્યા શબ્દથી વિચારવું.
નોઆગમતઃ દ્રવ્ય સંખ્યા :
७ से किं तं णोआगमओ दव्वसंखा ?
णोआगमओ दव्वसंखा तिविहा पण्णत्ता, तं जहा जाणयसरीरदव्वसंखा, भवियसरीरदव्वसंखा, जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वसंखा ।
ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમતઃદ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નોઆગમ દ્રવ્યસંખ્યાના ત્રણ પ્રકાર છે. જેમ કે– (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા, (૨) ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા (૩) જ્ઞાયક શરીર—ભવ્ય શરી૨ વ્યતિરિક્ત દ્રવ્ય સંખ્યા.
જ્ઞાયક શરીર દ્રવ્યસંખ્યા :
८ से किं तं जाणगसरीरदव्वसंखा ?
जाणगसरीरदव्वसंखा - संखा ति पयत्थाहिकार जाणगस्स जं सरीरयं ववगय- चुय-चइय-चत्तदेहं जीवविप्पजढं जाव अहो ! णं इमेणं सरीरसमुस्सए णं संखा ति पयं आघवियं जाव उवदंसियं, जहा को दिट्ठतो ? अयं घयकुंभे आसी । से तं जाणगसरीरदव्वसंखा ।
ભાવાર્થ :- પ્રશ્ન- શાયક શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– 'સંખ્યા' પદના જ્ઞાતાનું શરીર કે જે વ્યપગત–ચૈતન્ય રહિત થઈ ગયું છે. ચ્યુત,
ચ્યાવિત