SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રકરણ ૨૨/ પ્રમાણાગુલ ૩૩૧ ] 'બાવીસમું પ્રકરણ પ્રમાણાંગુલ પ્રમાણાંગુલનું નિરૂપણ - | १ से किं तं पमाणंगुले ? पमाणंगुले एगमेगस्स णं रण्णो चाउरतचक्कवट्टिस्स अट्ठ सोवण्णिए कागणिरयणे छत्तले दुवालसंसिए अट्ठकण्णिए अहिगरणिसंठाणसंठिए पण्णत्ते, तस्स णं एगमेगा कोडी उस्सेहगुलविक्खंभा, तं समणस्स भगवओ महावीरस्स अद्धंगुलं, तं सहस्सगुणं पमाणंगुलं भवइ । શદાર્થ :-વાડતરવજવકિસ = ચારિત્ત ચક્રવર્તી–પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ દિશામાં લવણસમુદ્ર સુધી અને ઉત્તરમાં હિમવંત પર્વત સુધીની ભૂમિને અર્થાતુ છ ખંડ યુક્ત સંપૂર્ણ ભરત ક્ષેત્રને પોતાને આધીન બનાવે છે, ચારે દિશાના અંત સુધીના ક્ષેત્ર પર એક છત્રી રાજ્ય કરે તે ચારિત્ત ચક્રવર્તી કહેવાય છે, અકુવા = અષ્ટ સુવર્ણપ્રમાણ, વારિયળ = કાકિણી રત્નની, છ તને = છ તલવાળા, કુવાનસિહ = બાર કોટિઓ, અ૬oખાણ = આઠ કર્ણિકાઓથી યુક્ત, હિરણાંવાણાંતિ = અધિકરણિ સંસ્થાન વાળા-સોનીની એરણ જેવા આકારવાળા. ભાવાર્થ :- પ્રશ્ન- પ્રમાણાંગુલનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ક્ષેત્રની ચારે દિશાના અંતભાગ પર્યત અર્થાત્ સંપૂર્ણ છ ખંડ પર શાસન કરનાર પ્રત્યેક ચક્રવર્તી રાજાના અષ્ટ સુવર્ણ પ્રમાણ, છ તલવાળું, બાર કોટિ અને આઠ કર્ણિકાઓ(ખૂણા)થી યુક્ત સોનીની એરણના સંસ્થાન–આકારવાળું અર્થાત્ સમચોરસ સંસ્થાનયુક્ત, કાકિણી રત્નની પ્રત્યેક કોટિ (બાજુઓ) ઉત્સધાંગુલ પ્રમાણ વિખંભ-પહોળાઈયુક્ત હોય છે. તે કાકિણી રત્નની એક કોટિ શ્રમણ ભગવાન મહાવીરના અર્ધગુલ પ્રમાણ છે. તે અર્ધગુલથી અર્થાત્ ઉત્સધાંગુલથી હજારગણું એક પ્રમાણાંગુલ હોય છે. વિવેચન : પ્રમાણાગલ :- પરમ પ્રકર્ષરૂપ પરિમાણને પ્રાપ્ત-સૌથી મોટા અંગુલને પ્રમાણાંગુલ કહેવામાં આવે છે. ઉલ્લેધાંગુલ કરતાં પ્રમાણાંગુલ હજારગણો મોટો છે. વિવિધ વિષયની જાણકારી મળે તે હેતુથી સૂત્રકારે
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy