________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- આ વ્યાવહારિક પરમાણુ તલવાર કે છરાની ધારને અવગાહિત કરે છે ?
ઉત્તર– હા, અવગાહિત કરી શકે છે, ધાર પર રહી શકે છે.
પ્રશ્ન- શું તલવારની ધાર તે વ્યાવહારિક પરમાણુનું છેદન–ભેદન કરી શકે છે ?
ઉત્તર– ના, તે અર્થ સમર્થ નથી અર્થાત્ તલવારની ધાર આ વ્યાવહારિક પરમાણુનું છેદન-ભેદન કરી શકતી નથી.
30
પ્રશ્ન- હે ભગવન્ ! શું આ વ્યાવહારિક પરમાણુ અગ્નિની વચ્ચેથી પસાર થઈ શકે છે ?
ઉત્તર– હા, તે પસાર થઈ શકે છે.
પ્રશ્ન- શું અગ્નિ વચ્ચેથી પસાર થતાં તે બળી જાય છે ?
ઉત્તર– ના, તે અર્થ સમર્થ નથી. અગ્નિરૂપ શસ્ત્ર તેને બાળી શકતું નથી.
પ્રશ્ન- શું આ વ્યાવહારિક પરમાણુ પુષ્કર સંવર્તક નામના મહામેઘની મધ્યમાંથી પસાર થઈ શકે
ઉત્તર- હા, તે પસાર થઈ શકે છે.
પ્રશ્ન– મહામેઘમાંથી પસાર થતાં શું તે પાણીથી ભીંજાય જાય ?
ઉત્તર- ના, તે અર્થ સમર્થ નથી અર્થાત્ તે પાણી તેને ભીંજવી શકતું નથી. અપકાયરૂપ શસ્ત્રનો તેના પર પ્રભાવ પડતો નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! શું વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસ્રોતમાં, વિપરીત પ્રવાહમાં ગમન કરી શકે છે ?
ઉત્તર– હા, તે પ્રતિસોતમાં ગમન કરી શકે છે.
તે
પ્રશ્ન– પ્રતિસ્રોતમાં ગમન કરતાં શું તે વિનાશ પામે છે ?
ઉત્તર– ના, તે અર્થ સમર્થ નથી. પ્રતિસ્રોતરૂપ શસ્ત્ર તેના પર કાર્ય કરી શકતું નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! શું તે વ્યાવહારિક પરમાણુ પાણીના વમળમાં કે જબિંદુમાં અવગાહન કરી શકે છે ?
ઉત્તર– હા, તે વમળમાં અને જલબિંદુમાં અવગાહન કરી શકે છે.
પ્રશ્ન− શું તે ભીનો થઈને કુત્સિત થાય છે ? અર્થાત્ સડી જાય છે ?
ઉત્તર- ના,
તે અર્થ સમર્થ નથી. વ્યાવહારિક પરમાણુ પર પાણીરૂપ શસ્ત્ર કાર્ય કરી શકતું નથી.