________________
[ ૨૪૪]
શ્રી નદી સૂત્ર
पण्णविज्जति, परूविजंति, दसिज्जंति, णिदसिज्जति उवदंसिज्जति ।
से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ
से त्तं णायाधम्मकहाओ । શબ્દાર્થ :-ળવાયર્મજદાર નું = જ્ઞાતા ધર્મકથાંગ સુત્રમાં, ગલાણં પરાવું = કથા નાયકોના નગરો, ૩ળા= ઉદ્યાનો, વેદ્યારું = ચૈત્યો, વરંડારું = વનખંડો, અનોસરખાવું = ભગવાનના સમવસરણનું, તેમજ, Rયા = રાજા, મમાપિયર = માતાપિતા, થમ્પાયરિયા = ધર્માચાર્ય, ધુમ્મદ = ધર્મકથા, દોરો = આ લોક અને પરલોક સંબંધી, વિસા = ઋદ્ધિ વિશેષ, મોના પરિવાયા = ભોગનો પરિત્યાગ, પથ્થળા = દીક્ષા, પરિયા = પર્યાય, સુપરિવાર = શ્રુતનું અધ્યયન, તવોવાળા = ઉપધાન-તપ, સંહા = સંલેખના, માપવહાણા = ભક્તપ્રત્યાખ્યાન, પરોવાળા = પાદપોપગમન, રેવનો નાગા = દેવલોક–ગમન, સુહુરપક્વાયા = પુનઃ ઉત્તમકુળમાં જન્મ, પુણવોહિતામા = પુનઃ સમ્યકત્વની પ્રાપ્તિ, અંતરિયા = ત્યાર બાદ અંતક્રિયા કરીને મોક્ષની ઉપલબ્ધિ ઈત્યાદિ વિષયોનું, આવિષ્કતિ = વર્ણન કરેલ છે, વન મ%હાપ વ = ધર્મકથાંગ સૂત્રના દસ વર્ગ છે, તત્થ - તેમાં, પગાર = એક-એક, ધ = ધર્મકથામાં, પંર પંચ અરૂણારૂાથા - પાંચસો-પાંચસો, આખ્યાયિકાઓ છે, આખ્યાન છે, પંર પંચ ૩વવાવાસારું = પાંચસો પાંચસો ઉપખ્યાયિકાઓ છે, ઉપાખ્યાન છે, પવન = આ રીતે, સપુષ્યાનું પૂર્વાપર કુલ, અ[૬ - સાડાત્રણ, દાળ જોડીઓ = કરોડ કથાનક, હૃતિ = છે, ત્તિ સમયે = એવું કથન કરેલ છે. ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે?
ઉત્તર- જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં કથાનાયકોના નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, ભગવાનના સમવસરણો તથા રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોક સંબંધી ઋદ્ધિ વિશેષ, ભોગોનો પરિત્યાગ, દીક્ષાપર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાનતપ, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, ફરી ઉત્તમ કુળમાં જન્મ, સમ્યત્વની પ્રાપ્તિ, તત્પશ્ચાત્ અંતક્રિયા કરી મોક્ષની ઉપલબ્ધિ ઈત્યાદિ વિષયોનું વર્ણન છે.
જ્ઞાતા સુત્રમાં ધર્મકથાઓના દસ વર્ગ છે, તેની એક–એક ધર્મકથામાં પાંચસો-પાંચસો આખ્યાન છે. એક–એક આખ્યાનમાં પાંચસો-પાંચસો ઉપાખ્યાન છે અને એક એક ઉપાખ્યાનમાં પાંચસો પાંચસો આખ્યાનોપાખ્યાન છે. આ રીતે પૂર્વાપર મળીને કુલ સાડા ત્રણ કરોડ કથાનક છે. એવું કથન કરેલ છે.
જ્ઞાતાધર્મકથામાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક પરિમાણ છે, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.