________________
અધ્ય.-૧૦: સ ભિક્ષ
૪૪૯
દસમું અધ્યયન સ ભિક્ષુ(શ્રેષ્ઠ સાધુ)
સંયમ-બ્રહ્મચર્યમાં સ્થિર ચિત્ત શ્રેષ્ઠ સાધુ -
णिक्खम्म माणाइ य बुद्धवयणे, णिच्चं चित्तसमाहिओ हविज्जा ।
इत्थीण वसं ण यावि गच्छे, वत णो पडियायइ जे स भिक्खू ॥ છાયાનુવાદ: નિચ માયા ૨ વુવને, નિત્યં સમાધનો ભવેત્ |
स्त्रीणां वशं न चापि गच्छेत्, वान्तं न प्रत्यापिबति यः स भिक्षुः ॥ શબ્દાર્થ:- માણારૃ = ભગવાનની આજ્ઞાથી બિનg— = દીક્ષા લઈને જુવો = સર્વજ્ઞના વચનોમાંfપવું = સદાજિત્તાહિક = ચિત્તથી પ્રસન્ન વિષ્કા = હોય છે ત્થા વસં = સ્ત્રીઓના વશમાં જ યાવિ છે = આવતો નથી વંત = વમન કરેલાવિષય ભોગોને નો પડિયારું = ફરી ઇચ્છતો નથી સ = તે જfબજÇ = આદર્શ સાધુ છે, શ્રેષ્ઠ સાધુ છે. ભાવાર્થ:- જે સાધક જિનેશ્વર ભગવંતના ઉપદેશને સાંભળી, ગૃહવાસનો ત્યાગ કરી, સંયમ સ્વીકાર કરીને તેમની આજ્ઞા પ્રમાણે આચરણ કરે છે; હંમેશાં સમાધિ ભાવમાં રહે છે. તેઓ કદાપિ સ્ત્રીઓને આધીન થતાં નથી તેમજ ત્યક્ત ભોગોનું પુનઃ સેવન કરતા નથી; તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન :
શ્રેષ્ઠ ભિક્ષુના ગુણોનું નિરૂપણ કરતાં અધ્યયનની આ પ્રથમ ગાથામાં સંયમના પ્રાણ સમા બ્રહ્મચર્યા પરિણામોની સ્થિરતાનું સૂચન છે. ભિક્ષુઃ- જે ભિક્ષાચરીથી નિર્વાહ કરે છે તે ભિક્ષુ કહેવાય છે. પરંતુ શ્રેષ્ઠ ભિક્ષની ભિક્ષાચરીની રીત વિશિષ્ટ પ્રકારની હોય છે. પ્રથમ અધ્યયનમાં ભ્રમરની ઉપમાથી ભિક્ષની ભિક્ષાચરીને સમજાવી છે. તેના મૂળમાં અહિંસા મહાવ્રત સમાયેલું છે. પ્રસ્તુત અધ્યયનમાં પણ ભિક્ષુના અહિંસા ગુણને પ્રાધાન્ય આપી આ પછીની ગાથાઓમાં દર્શાવ્યું છે કે– મુનિ છકાય જીવોને આત્મસમ જાણી તેની હિંસા ન કરે, તેની રક્ષા માટે સાવધાન રહે, તે જ શ્રેષ્ઠ ભિક્ષુ કહેવાય છે. તે ઉપરાંત – જિનવચનમાં અનુરક્તતા, ચિત્ત પ્રસન્નતા, બ્રહ્મચર્ય, પંચમહાવ્રતનું પાલન, પાંચ આશ્રવનો ત્યાગ વગેરે ગુણો પણ તે ભિક્ષુની શોભા છે. યુદ્ધવિયો :- જેને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેને બુદ્ધ કહે છે. તીર્થકરો, ગણધરો આદિ બુદ્ધ પુરુષ છે.