SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ઉત્પન્ન થયેલા દુઃખને સમભાવે સહન કરવાથી અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી તે મહાન ફળ કહેવાય છે. મહારાજ ની પ્રેરણા - સંસારી જીવોને ઇન્દ્રિયના વિષયોનો ભોગવટો સુખરૂપ ભાસે છે પરંતુ તે પરિણામે દુઃખરૂપ છે. જ્યારે સંયમ જીવન તેઓને દુઃખરૂપ લાગે છે; શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા આદિ પરીષહો દુઃખરૂપ લાગે છે. પરંતુ તેનું પરિણામ એકાંત સુખરૂપ છે. તે પરીષહાદિને સહન કરવાથી મોહનીયકર્મનું બળ ઘટે છે. તેથી દેહાસક્તિ છૂટે છે તેમજ કર્મોનો નાશ થાય છે, પરિણામે મહાનફળ –મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. તે સાધકના જીવનમાં વિવિધ પ્રકારની તપસ્યા, અભિગ્રહો, પરીષહજય અને આતાપના વગેરે અનુષ્ઠાનો વેદ પુત્રનું મહત્ત ની સૂક્તિને ચરિતાર્થ કરવા માટેના શ્રેષ્ઠ પ્રયોગો છે, પ્રેક્ટીકલ ઉદાહરણો છે. નિષ્કર્ષ એ છે કે વીરરસના પ્રભાવે યોદ્ધા સંગ્રામમાં ટકે છે અને વિજય પણ મેળવે છે. જો તેમાંથી વીરરસ ઓસરી જાય કે ઓછો થઈ જાય તો તે યુદ્ધમાં દુઃખાનુભવ કરે કે યુદ્ધથી પલાયન કરી જાય છે. તે જ રીતે કર્મ સંગ્રામના યોદ્ધારૂપ મોક્ષ સાધક શ્રમણ પણ વૈરાગ્ય રસના પ્રભાવે જ સંયમના કષ્ટ ઉપસર્ગોને સહન કરવામાં સફળ થાય છે અને વેદ પુર્વ મહાસં વાક્યને જીવનમાં ચરિતાર્થ કરે છે. પરંતુ જ્યારે વૈરાગ્ય રસ સાધકમાંથી ઓસરી જાય કે મંદ થઈ જાય ત્યારે તે સંયમના કોનો અનુભવ કરે છે. માટે મુનિ નિરંતર વૈરાગ્યરસથી આત્મામાં વીરરસ સિંચિત કરે અને સાધનામાં સફલ બને. રાત્રિ ભોજન ત્યાગ :- अत्थंगयम्मि आइच्चे, पुरत्था य अणुग्गए । आहारमाइयं सव्वं, मणसा वि ण पत्थए ॥ છાયાનુવાદઃ અપ્ત માહિત્યે, પુરતાત્ વાનુદ્દાને ! आहारादिकं सर्व, मनसाऽपि न प्रार्थयेत् ॥ શબ્દાર્થ - આલ્વે = સૂર્યના સ્થાન = અસ્ત થઈ જવા પર ય = ત્યાર પછી પુરસ્થા = પૂર્વ દિશામાં પ્રાતઃકાલે અપુNI = ઉદય થયા પહેલાં સવ્વ = સર્વ પ્રકારના આહારમા = આહારાદિ પદાર્થોની મનસા વિ = મનથી પણ ન પલ્થ = કામના ન કરે. ભાવાર્થ - મુનિ સૂર્યાસ્ત થયા પછી અને સૂર્યોદય થયા પહેલાં રાત્રિમાં આહારાદિ પદાર્થોની (સેવન કરવાની) મનથી પણ ઈચ્છા ન કરે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં રાત્રિભોજન ત્યાગ રૂપ આચાર પ્રણિધિનું કથન છે. મળી વિ પત્થા – શ્રમણ જીવનમાં આહારાદિ ત્યાગ રૂપ તપના પ્રત્યાખ્યાન એક કરણ એક २८
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy