________________
૩૪૪ ]
શ્રી દશવૈકાલિક સત્ર
કરવાનો નિષેધ છે.
મુ વી – મુધા જીવી. (૧) કોઈ પ્રકારનું મૂલ્ય ચૂકવ્યા વિના નિસ્પૃહ ભાવથી જીવનાર (૨) પોતાના નિર્વાહને માટે, ધન વગેરેનો પ્રયોગ ન કરનાર (૩) ગૃહસ્થના પ્રતિબંધ વિના ભિક્ષાવૃત્તિ વડે સંયમી જીવન જીવનારને મુધાજીવી કહે છે. કસબકે, ગલ્સિ :- અહીં આહાર સંબંધી પ્રસંગ હોવાના કારણે ભિક્ષુ આહારના નિમિત્તે કોઈ ગુહસ્થના ઘરોથી કે કોઈ ગામથી પ્રતિબદ્ધ ન થાય પરંતુ આહારાસક્તિથી મુક્ત થઈ વિશાલ આર્ય ક્ષેત્રને આશ્રયે રહે. તે માટે માથામાં અસંબદ્ધના પ્રતિપક્ષમાં જગ નિશ્રિત શબ્દપ્રયોગ છે તથા ભિક્ષુ ગૃહસ્થો સાથે અનુચિત કે સાંસારિક સંબંધ પણ ન રાખે, ગૃહસ્થો સાથે જલકમલવતુ(નિર્લેપ ભાવે) વ્યવહાર કરે.
२६
સર્વ ઈન્દ્રિય સંયમ :
कण्णसोक्खेहिं सद्देहि, पेमं णाभिणिवेसए ।
दारुणं कक्कसं फासं, काएण अहियासए । છાયાનુવાદઃ સૌોજુ , પ્રેમ નામનિવેરાયેત્ |
दारुणं कर्कशं स्पर्श, कायेन अध्यासीत ॥ શબ્દાર્થ – UMોર્દિ = શ્રોત્રેન્દ્રિયને સુખ ઉત્પન્ન કરનાર સર્દિ = શબ્દોમાં જેમ = રાગભાવ નિવેસર = સ્થાપન ન કરે તથા વાળું = અનિષ્ટ અને = કર્કશા = સ્પર્શને વાળ = કાયા વડે દિયાસણ = સહન કરે. ભાવાર્થ-શ્રોત્રેન્દ્રિયને સુખરૂપ શબ્દોને સાંભળીને મુનિ રાગ ભાવ ન કરે તથા દારુણ અને કર્કશ સ્પર્શ થાય તો શ્વેષ ભાવ ન કરે પરંતુ તે સ્પર્શીને કાયાથી સમ્યફ સહન કરે.
વિવેચન :
આ ગાથામાં સર્વ પ્રથમ શ્રોત્રેન્દ્રિયના મનોજ્ઞ–અનુકૂલ વિષયમાં અને અંતે સ્પર્શેન્દ્રિયના અમનોજ્ઞપ્રતિકૂલ વિષયમાં સમભાવનું કથન કરીને સૂત્રકારે પાંચ ઈન્દ્રિયના અનુકૂળ અને પ્રતિકૂળ એમ દશ વિષયોમાં પણ સમભાવ ધારણ કરવાનું સૂચન કર્યું છે. સાર એ જ છે કે મુનિ પાંચે ય ઈન્દ્રિયોના અનુકૂલ વિષયોમાં રાગ અને પ્રતિકૂલ વિષયોમાં દ્વેષ ન કરે પરંતુ મધ્યસ્થ ભાવપૂર્વક વિચરે. ઉપલક્ષણથી લોકના કોઈ પણ પદાર્થ પર રાગદ્વેષ ન કરે. વાર વજેસંદ-દારુણ અને કર્કશના વિવિધ અર્થ થાય છે– (૧) દારુણ = અનિષ્ટકારી અને કર્કશ