________________
અધ્ય.-૭: સુવાક્ય શુદ્ધિ
૩૦૩ ]
ભગવન્! દેવાનંદાની આવી સ્નેહપૂર્ણ સ્થિતિનું શું કારણ છે? ત્યારે પ્રભુએ કહ્યું–પક્ષ નં જોયા ! મમ અમલા = હે ગૌતમ ! આ મારી માતા છે.–શ્રી ભગવતી સૂત્ર આ રીતે સ્વરૂપ દર્શક વચન મુનિ બોલી શકે છે. તેમ છતાં વર્તમાનમાં શ્રમણ પરંપરામાં આવા સંબંધ વાચક શબ્દો સાથે સાંસારિક શબ્દ જોડીને બોલાય છે તેની પાછળ પણ વિવેક દષ્ટિ રહેલી છે. જેમ કે- આ મારી સંસારી માતા છે.
પંચેન્દ્રિય સંબંધી ભાષા વિવેક :
पंचिंदियाण पाणाणं, एस इत्थी अयं पुमं । २१
जाव णं ण वियाणेज्जा, ताव जाइ त्ति आलवे ॥ છાયાનુવાદઃ પઝિયાનાં પ્રાણાનાં, પણ સ્ત્રી મયં પુમાન !
यावत्तां न वियानीयात् तावत् 'जातिः' इत्यालपेत् ॥ શબ્દાર્થ -પંવિાન = પંચેન્દ્રિય પUTM = પ્રાણીઓને દૂરથી જોઈને ગાવ = જ્યાં સુધી પણ = આ ફલ્થી = સ્ત્રી છે અર્થ પુન = આ પુરુષ છે જ વિયાન્નિા = જાણે નહિ તાવ = ત્યાં સુધી સાધુ ના ત્તિ = જાતિને આશ્રિત કરીને જ આવે = બોલાવે. ભાવાર્થ - મનુષ્ય સિવાય ઈતર પંચેન્દ્રિય પ્રાણીઓ અંગે જ્યાં સુધી આ નર છે કે માદા છે તેવો નિશ્ચય ન થાય ત્યાં સુધી મુનિ તેની જાતિથી જ કથન કરે અર્થાત્ આ કૂતરાની જાત છે તેમ જાત શબ્દ જોડીને બોલે પરંતુ આ કૂતરો છે", "આ કૂતરી છે", તેવી ચોક્કસ ભાષા નિશ્ચય ન થાય ત્યાં સુધી ન બોલે.
तहेव मणुस्सं पसुं, पक्खि वा वि सरीसवं ।
थूले पमेइले वझे, पाइमे त्ति य णो वए ॥ છાયાનુવાદઃ તદૈવ મનુષ્ય પશું, વારિ સરકૃપમ્ |
स्थूलःप्रमेदुरो वध्यः, पाक्य इति च नो वदेत् ॥ શબ્દાર્થ –તદેવ તેમજ માધુરૂં મનુષ્યોને પણું = પશુને પgિ = પક્ષીને સરીસર્વ વિ = સર્પ આદિને જોઈને તે = આ સ્થૂલ છે પત્તે = આ વિશેષ મેદવાળો છે વ = વધ કરવા યોગ્ય છે પ ત્તિ = પકાવવા યોગ્ય છે. એ પ્રમાણે જો વ = કદાપિ ન બોલે. ભાવાર્થ - તેમજ મનુષ્ય, પશુ, પક્ષી કે સર્પ આદિને જોઈને... "આ જાડો છે, આ તાજો તગડો છે(તેના શરીરમાં માંસ ખૂબ છે), આ વધ કરવા યોગ્ય છે કે પકાવવા યોગ્ય છે," તેવું હિંસાજનક વચન મુનિ ન બોલે.
परिवुड्ढे त्ति णं बूया, बूया उवचिए त्ति य । संजाए पीणिए वा वि, महाकाए त्ति आलवे ॥
२२
२३