SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય.-૭: સુવાક્ય શુદ્ધિ | ૨૮૯ | * અંતે ઉપસંહારરૂપે સુવાક્ય શુદ્ધિના અનંતર અને પરંપર ફળને પ્રદર્શિત કરીને સાધકને તે માર્ગે ગમન કરવાની પ્રેરણા આપી છે. * જેમ અંધ વ્યક્તિ દોરનાર પુરુષને જ અનુસરે છે તેમ સાધકની વાણી તેના શુદ્ધ કે અશુદ્ધ વિચારને જ અનુસરે છે. ભાષા શુદ્ધિનો અહિંસા અને સંયમ સાથે ગાઢ સંબંધ છે. જ્યાં સુધી સાધકની વાણી અહિંસક ભાવ અને વિવેકથી નિયંત્રિત થઈને ન નીકળે ત્યાં સુધી તે સંયમ અને અહિંસાની આરાધના પૂર્ણ રીતે કરી શકે નહીં. * ભાષા વિવેકપૂર્વક બોલવાથી સાધક બોલવા છતાં મૌની કહેવાય છે. સૂત્રકારે ભાષાશુદ્ધિ માટે એક સ્વતંત્ર અધ્યયનની રચના કરી, તે વિષયનું વિશિષ્ટ પ્રકારનું વિશ્લેષણ કર્યું છે, તે વાક્યશુદ્ધિની મહત્તાને પ્રગટ કરે છે. * ભાષાશુદ્ધિ દ્વારા સાધક લોકપ્રિય, સન્માનનીય બને છે અને સંયમ તપની આરાધના દ્વારા કર્મક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy