SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૫, ઉદ્દે.-૨: પિંડેષણા ૨૧૯ કેટલાક વનસ્પતિ વિભાગોના ચૂર્ણ(પિષ્ટ) સંબંધી સચિત્તતાનું નિરૂપણ કરીને મુનિ માટે તેની અગ્રાહ્યતા સૂચિત કરી છે. ગોચરી માટે જનાર શ્રમણને સચેત-અચેત અને મિશ્ર પદાર્થોનું પૂર્ણ વિવેક જ્ઞાન હોવું અનિવાર્ય છે. સાસુ વા... - પ્રસ્તુત ગાથા અઢારના પ્રારંભમાં સાસુયં વગેરે પાંચ પદો દ્વારા કમલની નાળ, કંદ, તંતુ વગેરે જલજ વનસ્પતિનું અને પછીના બે પદોથી સરસવની ડાંડલી તથા શેરડીના લાંબા ટુકડાનું કથન કરીને ગાથાના અંતે આપવુ પદથી આ સર્વ પદાર્થોને સચિત્ત સ્વીકારતાં શસ્ત્રથી અપરિણત થયેલાને મુનિ માટે અગ્રાહ્ય દર્શાવ્યા છે. વિલિય = ટીકાકારે આ શબ્દ દ્વારા પલાસકંદ અર્થ કરીને પણ અન્ય પ્રચલિત અર્થ-વેલના પર્વ, પ્રતિપર્વ વગેરેનું પણ ગ્રહણ કર્યું છે યથાવિરતિ, પતાસવરૂપ; પર્વવત્તિ, प्रतिपर्ववल्लि, प्रतिपर्वकंदमित्यन्ये । મુળતિય = કમળની નાલ, કમળની જાળતંતુ, પદ્મ કેસરા વગેરે અર્થ શબ્દકોશમાં મળે છે. ટીકામાં–પની વોલ્યાં તેમ કથન કરેલ છે. @- કાતળી સહિતના શેરડીના લાંબા ટુકડા. આ શબ્દથી શેરડીના નાના કટકા, તેમ પણ અર્થ થાય છે પરંતુ અહીં ક્લિવિશેષણ હોવાથી અને નાના કટકા અચિત્ત હોવાથી તે અર્થ ન કરીને લાંબા ટુકડા અર્થ કરવો ઉપયુક્ત છે. આ રીતે અઢારમી ગાથામાં શેરડી સિવાય સર્વ સાધારણ વનસ્પતિનું કથન છે. તરુણ વા વાd... - આ ઓગણીસમી ગાથામાં વનસ્પતિઓની કૂંપળોનું કથન છે. તેને સંસ્કૃતમાં પ્રવાલ કહે છે. નવા કોમળ પાંદડા પણ આ શબ્દથી ગ્રહણ થઈ જાય છે. રાહુલ તપાસ = વનસ્પતિના બાર ભેદમાંના આ બે પદોથી અહીં તેના વચ્ચેની ચાર(ગુચ્છ, ગુલ્મ, લયા, વલ્લી)વનસ્પતિ કૂંપળોનું કથન છે, તેમ સમજવું જોઈએ. તે પછી અાસ વાન હરિયસ પદથી અવશેષ સર્વ વનસ્પતિ કૂંપળોનું કથન છે. તળવં વા છિવાઈk - આ વીસમી ગાથામાં ઉછવાહ પદથી અડદ, મગ વગેરે સર્વ પ્રકારની સીંગનું વર્ણન છે. તેના માટે ત પદથી કોમળ અને આમિયં પદથી કાચી અવસ્થાનું સૂચન છે અને સ૬ શ્વિયં પદથી અડધી કે અપરિપૂર્ણ ભૂંજેલી-શેકેલી અર્થાત્ થોડીક શેકેલી મિશ્ર અવસ્થાનો નિર્દેશ છે. સ૬ = એકવાર શેકેલી શિંગ. એકવારના શેકવાથી તે પૂર્ણ પક્વ(અચિત્ત) થતી નથી. તેમાં કોઈક કાચીને કોઈક પાકી તે રીતે મિશ્રિત રહે છે. માટે તેવી અર્ધપક્વ શિંગને લેવાનો નિષેધ છે. તે લીલી શિંગ બે ત્રણવાર શેકાઈ જાય, પછી જ પૂર્ણ પરિપક્વ(અચિત્ત) થાય છે અને તે સાધુને માટે ગ્રાહ્ય બને છે. તથા વોત્તમપુસિ.... - આ એકવીસમી ગાથામાં વાવતિય પદના બે અર્થ થાય છે– (૧) કાશ્યપનાલિકા અથવા શ્રીપર્ણફળ (૨) કસારુ-જલીય ઘાસનું કદ છે, જેનું ફળ પીળારંગનું અને ગોળ હોય છે. પ્રસ્તુત ગાથામાં ગgror( ૩) પદથી અગ્નિ પરિણામિત ન થયેલા અને ગામ
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy