SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ શબ્દાર્થ - તાનિ નારદત્તે - તે શ્રાવસ્તી નગરીની સમીપે વુિાં નામ = હિંદુક નામનું ૩ષા = એક ઉદ્યાન તત્થ = ત્યાં પાસુ = પ્રાસુક(જીવરહિત) સિઝ-સંથારે = સસ્તારક યુક્ત સ્થાનમાં વાસકુવા = નિવાસ કર્યો. ભાવાર્થ:- તે શ્રાવસ્તી નગરીની સમીપે સિંદુક નામના ઉધાનમાં જીવરહિત સંસ્તારક–બાજોઠ આદિ સુલભ હતા, તેવા સ્થાનમાં કેશીકુમાર શ્રમણે નિવાસ કર્યો. વિવેચનઃ પ્રસ્તુત ગાથાઓમાં પ્રભુ પાર્શ્વનાથનો અને કેશીકુમાર શ્રમણનો પરિચય છે. વૃદ્ધMા સળUબૂ :- સંબુદ્ધાત્મા. જેનો આત્મા સમ્યક પ્રકારે તત્ત્વજ્ઞ થયો છે, એવા તત્ત્વજ્ઞ છધસ્થ પણ હોઈ શકે છે, તેથી સૂત્રકારે સવ્વાણુ વિશેષણનો પ્રયોગ કર્યો છે. સર્વજ્ઞ એટલે સમસ્ત લોકાલોકના જ્ઞાતા, કેવળજ્ઞાનના ધારક. હિને :- પ્રથમ ગાથામાં જિન શબ્દનો પ્રયોગ બે વાર થયો છે, તેનું વિશેષ પ્રયોજન છે. પ્રથમવાર નિને શબ્દ પ્રયોગ રાગદ્વેષના વિજેતા જિન માટે વપરાયો છે. બીજીવાર જિન શબ્દનો પ્રયોગ પાર્શ્વનાથ ભગવાનના મુક્તિગમનનો સૂચક છે. જેમણે સમસ્ત કર્મોને જીતી લીધા છે તે જિન, પ્રસ્તુત સંવાદ સમયે ભગવાન મહાવીર સ્વામી ૨૪મા તીર્થંકર રૂપે સાક્ષાત્ વિચરણ કરતા હતા અને ભગવાન પાર્શ્વનાથ મોક્ષે પધાર્યા હતા. જે નાર તમને - (૧) કુમારાવસ્થા અર્થાતુ અપરણિત અવસ્થામાં ચારિત્ર સ્વીકારેલા શ્રમણ (૨) કેશીકુમાર નામના શ્રમણ-તપસ્વી. વિના વ૨પારકો - વિદ્યા અને ચરણના પારગામી. વિદ્યાનું સમ્યગુજ્ઞાન અને સમ્યગદર્શન. ચરણ = સમ્મચારિત્ર.પાર = પારગામી. આ રીતે કેશીકુમાર શ્રમણ સમ્યગ્રજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક ચારિત્ર, તે રત્નત્રયીની ઉત્કૃષ્ટપણે આરાધના કરતા હતા. મોહિણTળસુ - અવધિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. સૂત્રકારે ગાથામાં બે જ્ઞાનનું જ કથન કર્યું છે. પરંતુ શ્રત મતિપૂર્વ | શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. તેથી કેશીકુમાર શ્રમણ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન તે ત્રણે જ્ઞાનથી યુક્ત હતા, તેવો અર્થ સ્પષ્ટ થાય છે. ભગવાન મહાવીર અને ગૌતમ - अह तेणेव कालेणं, धम्मतित्थयरे जिणे । भगवं वद्धमाणित्ति, सव्वलोगम्मि विस्सुए ॥ શબ્દાર્થ - અદ = અથ તેને વાળ = તે સમયે થતત્થર = ધર્મતીર્થ સ્થાપનારfન = રાગદ્વેષના વિજેતા જાવું = ભગવાન વામાણિત્તિ = વર્ધમાન સ્વામી સપ્નનો ખિ = સમસ્ત લોકમાં વિસુ = સર્વજ્ઞ સર્વદર્શી તીર્થકરરૂપે પ્રસિદ્ધ હતા. ભાવાર્થ - તે સમયે ધર્મતીર્થના સ્થાપક, રાગદ્વેષના વિજેતા, ભગવાન વર્ધમાન(મહાવીર સ્વામી) સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા. तस्स लोगपईवस्स, आसी सीसे महायसे । भगवं गोयमे णाम, विज्जाचरणपारगे ॥
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy