SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ २६३ અનશન એટલે આ જીવનની અંતિમ આરાધના છે. તે અંતિમ આરાધનાના સ્વીકાર પછી કોઈ પણ નિમિત્તથી સાધકની ચિત્તવૃત્તિ મલિન ન થાય તે અત્યંત જરૂરી છે. જો અંત સમયે મલિન ચિત્તવૃત્તિથી કંદર્પભાવના આદિમાંથી કોઈ પણ ભાવનાના પરિણામો આવી જાય, તો જીવવિરાધક થાય છે. તે ભાવોની તીવ્રતામાં સમ્યગુદર્શનનો પણ નાશ થાય છે. તેથી સાધકે મૃત્યુ પહેલાં જ પ્રસ્તુત ગાથામાં દર્શાવેલી દુર્ગતિક ભાવનાઓની આલોચના કરી તેના પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરી આરાધક ભાવ કેળવવો જોઈએ. સાધક કંદર્પભાવના આદિમાં પ્રવૃત્ત થાય તો તેનામાં વ્યવહારની અપેક્ષાએ ચારિત્રની સત્તા હોવા છતાં તેની ઉત્પત્તિ દુર્ગતિરૂપ નિમ્નકોટિના દેવનિકાયોમાં જ થાય છે. અહીં દુર્ગતિ શબ્દથી દેવ દુર્ગતિનું ગ્રહણ થાય છે. તે જીવ દેવગતિમાં કિલ્વીષી આદિ દેવરૂપે જન્મ ધારણ કરે છે. બોલિબીજની દુર્લભતા-સુલભતા: મિચ્છાસત્તા, સળિયા ટુ હિંસT I | इय जे मरंति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥ શબ્દાર્થ - 7 = જે નવા = જીવ નિછાવસાર = મિથ્યાદર્શનમાં અનુરક્ત છે ખયાળT = નિયાણા સહિત ક્રિયાનુષ્ઠાન કરે છે, હિંસ = હિંસામાં પ્રવૃત્ત છે = આ પ્રકારે મતિ= મરે છે હિં = તેને પુખ = ફરીથી વોહી = બોધિની પ્રાપ્તિ થવી કુc = અત્યંત દુર્લભ છે. ભાવાર્થ-જે જીવો મિથ્યાદર્શનમાં અનુરક્ત, નિયાણ કરનારા અને હિંસામાં પ્રવૃત્ત હોય તેમજ તેવા જ ભાવોમાં મૃત્યુ પામે, તો તેને બોધિ-ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે. र सम्मदसणरत्ता, अणियाणा सुक्कलेसमोगाढा । 1 રૂચ ને મતિ નીવા, તેસિં યુનેહા મને ગોદી | શબ્દાર્થ:- સન્મવંતરિત્તા = સમ્યગદર્શનમાં અનુરક્ત ળિયT = નિદાન રહિત ક્રિયાનુષ્ઠાન કરનારા અને મોગાતા = શુક્લ લશ્યાને પ્રાપ્ત થયેલ નવા = જીવ સુહા = સુલભ. ભાવાર્થ:- જે જીવ સમ્યગુદર્શનમાં અનુરક્ત, નિદાનકર્મથી રહિત અને શુક્લલશ્યાને પ્રાપ્ત થયેલા હોય છે; તે જીવો તે જ ભાવોમાં મૃત્યુ પામે, તો તેને પરલોકમાં બોધિ–ધર્મની પ્રાપ્તિ સુલભ છે. बता मिच्छादसणरत्ता, सणियाणा कण्हलेसमोगाढा । - રૂથ ને મતિ નીવા, તેલિ મુખ દુહા વોહી ! શબ્દાર્થ - વડ્ડનેસનોઠા = કૃષ્ણલેશ્યાને પ્રાપ્ત થયેલા જીવ. ભાવાર્થ – જે જીવ મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન સહિતક્રિયાનુષ્ઠાન કરનારા છે અને કૃષ્ણલેશ્યાને પ્રાપ્ત થયેલા છે, તે જીવો તે જ ભાવોમાં મૃત્યુ પામે તો પરલોકમાં તેને બોધિની(સમ્યક્તની) પ્રાપ્તિ દુર્લભ છે. વિવેચન : - પ્રસ્તુત ગાથાઓમાં સમ્યગુદર્શનની દુર્લભતા અને સુલભતા યોગ્ય જીવોનું કથન છે. કોઈ પણ જીવોના આત્મપરિણામો, કર્મજન્ય સંસ્કારો, શ્રદ્ધા વગેરે શુભાશુભ ભાવો ભવભવાંતરમાં
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy