SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાયન સૂત્ર ૨ જીવોને પૂર્વભવના અંતર્મુહૂર્ત અને ઉત્પત્તિના અંતર્મુહૂર્ત પર્યંત એક જ લેશ્યા રહે છે. આ રીતે ચારે ગતિના જીવોને લેશ્યા પરિણામના પ્રથમ સમયે કે અંતિમ સમયે મરણ અને જન્મ થતા નથી. ઉપસંહારઃ ૩૫૨ तम्हा एयासि लेसाणं, आणुभावे वियाणिया । ६१ अप्पसत्थाओ वज्जित्ता, पसत्थाओ अहिट्ठए मुणी ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :- સા - તેથી ચાલિ = આ લેફ્સાનં – લેશ્યાઓના આનુભવે - સમ્યક્ સ્વરૂપને વિયાખિયા - જાણીને મુળી - મુનિ, સાધુ અવ્વસત્થાઓ - અપ્રશસ્ત લેશ્યાઓને વનત્તા છોડીને પસન્ત્યાઓ - પ્રશસ્ત લેશ્યાઓને અતિદુર્ = ધારણ કરે. ભાવાર્થ :- આ રીતે મુનિઓ લેશ્યાઓના સંપૂર્ણ વર્ણનને જાણીને અપ્રશસ્ત લેશ્યાઓનો પરિત્યાગ કરીને, પ્રશસ્ત બેસ્યાઓમાં સ્થિત રહે. વિવેચનઃ કૃષ્ણલેશ્યા, નીલગ્લેશ્યા અને કાપોતલેશ્યા, તે ત્રણ અપ્રશસ્ત લેયાઓ દુર્ગતિનું કારણ છે; તેજોણેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા એ ત્રણ પ્રશસ્ત લેશ્યાઓ શુભગતિનું કારણ છે. લેશ્યાઓના ઉક્ત સ્વરૂપને જાણીને અપ્રશસ્ત લેયાઓનો ત્યાગ કરવો અને પ્રશસ્ત લેશ્યાઓને ધારણ કરવી જોઈએ. अहिए: :- ધારણ કરે. આ ક્રિયાપદથી સૂત્રકારે જીવાત્માની સ્વતંત્રતા દર્શાવી છે. આત્મા પોતાના સ્વતંત્ર પુરુષાર્થથી શુભ આત્મપરિણામો કરી શકે છે. રાગ-દ્વેષ, વેર-વિરોધ આદિ અશુભ પરિણામો માટે જીવને પુરુષાર્થ કરવો પડતો નથી; કારણ કે અનાદિકાલથી જીવ તેવા પરિણામો કરતો આવ્યો છે, તેથી તે પરિણામો જીવને માટે સહજ છે, વર્તમાનમાં સાધના કરનાર સાધક સમજણપૂર્વકના પુરુષાર્થથી તે અશુભ પરિણામોને દૂર કરી શુભ પરિણામોને ધારણ કરી શકે છે, તેમાં તેની સ્વતંત્રતા છે. છ હોશ્યાના ૧૧ દ્વાર ! દ્વાર ૧ નામ ૨ |વર્ણ ૩ રસ ૧ ૨ ૩ કૃષ્ણલેશ્યા | નીલલેશ્યા | કાપોત લેશ્યા અંજન જૈવ વૈડુર્યરત્ન કબૂતરની ડોક કાળો જેવો નીલો | જેવો આસમાની કડવીતુંબી | તિકરૢ જેવો | કાચી કેરી જેવો જેવો કડવો | તીખો ખાટો+તૂરો | પાકી કેરી ઉત્તમ શિ જેવો ખાટો+ |જેવો મીઠો+ મો તૂરો(કસાયેલો) ૪ તેજો લેવા ઉગતા સૂર્ય | જેવો લાલ ૫ પદ્મ લેવા હળદર જેવો પીળો ૪ | ધ ૫ | સ્પર્શ સર્પ આદિના મૃત દેહી અનંત ગુણી દુર્ગંધ કરવત, ગાયની જીભ વગેરેથી અનંતગુણો કર્કશ ૬ | પરિણામ| જવ., મધ્યમ, ઉ. તે ત્રણ ભેદ અને તેના ત્રણ-ત્રણ = S શુક્લ વેશ્યા શંખ જેવો શ્વેત સાકર જેવો મીઠો કેવડો વગેરે સુગંધી પુષી અનંતગુણી સુગંધ પુષ્પ, નવનીત વગેરેથી અનંતગુણો સુંવાળો ભેદ. તેથી ૯, ૨૭, ૮૧, ૨૪૩ વગેરે અસંખ્યાતા.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy