________________
[ ૩૨૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભાવાર્થ - આ રીતે આ કર્મોના અનુભાગોને જાણીને બુદ્ધિમાન સાધક તેનો સંવર કરે અને(પૂર્વકૃત કર્મોનો) ક્ષય કરવાનો પ્રયત્ન કરે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથા સમગ્ર અધ્યયનના ઉપસંહારરૂપ છે. તેમાં કર્મપ્રકૃતિના વિશ્લેષણના પ્રયોજનને સ્પષ્ટ કર્યું છે. જ્ઞાનજી નં વિરતિ, જ્ઞાનનું ફળ વિરતિ છે. કર્મબંધના વિજ્ઞાન દ્વારા જીવ કર્મબંધથી વિરામ પામી સંવર અને નિર્જરા તત્ત્વની આરાધના કરે છે. કર્મના પરિણામ તીવ્ર ભયંકર છે. કર્મનો સિદ્ધાંત અટલ છે. જે વ્યક્તિ જેવા પરિણામથી કર્મોનો બંધ કરે છે, તેવા ફળ તેને ભોગવવા પડે છે. શુભ કે અશુભ બંને પ્રકારના કર્મો જીવને બંધન રૂપ છે, સંસારરૂપ છે. આ પ્રકારે કર્મસિદ્ધાંતની અચલતાને જે જાણે છે અને તે આ ભવમાં નવા કર્મબંધ ન થાય તેના માટે સાવધાન રહે છે તે ધર્મ પુરુષાર્થથી પૂર્વકૃત કર્મોનો ક્ષય કરીને આત્મશુદ્ધિ કરે છે. આઠ કર્મોની ઉત્તર પ્રકૃતિ આદિ :|કમ મૂળ કર્મ પ્રકૃતિ | ઉપમા | ઉત્તર પ્રવૃતિ | સ્થિતિબંધ | અનુભાગબંધ ૧ | જ્ઞાનાવરણીય કર્મ | આંખના પાટા પ- મતિ, શ્રુત, જઘ અંતર્મુહૂર્ત | આઠે કર્મોના
સમાન
અવધિ, મન:પર્યવ, ઉ૦ ૩૦ ક્રોડાક્રોડી | એક સમયના
કેવલજ્ઞાનાવરણીય સાગરોપમ અનુભાગ યોગ્ય | ૨ |દર્શનાવરણીય કર્મ | રાજાના દ્વારપાળ ૯િ-ચક્ષુ, અચક્ષુ | જઘ અંતર્મુહૂર્ત | દલિકો અભવ્ય
સમાન
અવધિ, કેવલ દર્શનાવર-૧૦ ૩૦ ક્રોડાકોડી જીવોથી અનંતગુણા, ણીય નિદ્રા, નિદ્રાનિદ્રા, | સાગરોપમ સિદ્ધોથી પ્રચલા, પ્રચલાપ્રચલા
અનંતમાભાગે ન્યૂન થીણદ્ધિ નિદ્રા
છે. સર્વ અનુભાગ | ૩ | વેદનીય કર્મ મધથી લિપ્ત –શાતા અને જઘ અંતઉ૦ ૩૦| યોગ્ય દલિકો સર્વ
તલવાર સમાન અશાતા વેદનીય ક્રોડાકોડી સાગરો| જીવોથી અનંતગુણા | ૪ | મોહનીય કર્મ | મદિરાપાન સમાન ૨૮–દર્શનમોહનીય-૩ ગુજઘન અંતર્મુહૂર્ત | પ્રદેશબંધ
ચારિત્રમોહનીય-૨૫ ] ઉ. ૭૦ ક્રોડાક્રોડી | જીવો ૩, ૪, ૫ કે ૬
૩+ ર૫ = ૨૮ સાગરોપમ | દિશામાંથી આવતા ૫ | આયુષ્ય કર્મ બેડી સમાન ૪-નરકાયુ, જઘ૦ અંતર્મુહૂર્ત | એક ક્ષેત્રાવગાઢ
તિર્યંચાયુ, ઉ૦ ૩૩ સાગરોપમ અનંતાનંત કાર્પણ મનુષ્યાયુ, દેવાયુ
વર્ગણાના દલિકોને એક સમયમાં ગ્રહણ કરે.