________________
મોક્ષમાર્ગ ગતિ
૧૩૫
અકાવીસમું અધ્યયન
મોક્ષમાર્ગ ગતિ
મોક્ષમાર્ગ -
मोक्खमग्गगई तच्चं, सुणेह जिणभासियं ।
चउकारणसजुत्त, णाणदसण लक्खण ॥ શબ્દાર્થ - જિનભલિય = જિનેન્દ્ર ભગવાન દ્વારા કથિત વારણસંગુત્ત = સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, તે ચાર કારણોથી સંયુક્ત, આ ચાર કારણોથી પ્રાપ્ત થનારી નાગવંસ- નવરા = જ્ઞાન-દર્શન લક્ષણરૂપ તવં = યથાર્થ, સત્યમોહમFડું = મોક્ષમાર્ગની ગતિ, મોક્ષમાર્ગનો પુરુષાર્થ સુદ = સાંભળો. ભાવાર્થ - જિનેશ્વર ભગવંતો દ્વારા કથિત સમ્યગુજ્ઞાન આદિ ચાર કારણોથી યુક્ત અને જ્ઞાન-દર્શન આ બે લક્ષણ સ્વરૂપ મોક્ષમાર્ગની યથાર્થ ગતિને તમે સાંભળો. (અર્થાત્ હું મોક્ષમાર્ગ ગતિ નામના અધ્યયનનું વર્ણન કરું છું, તે તમે સાંભળો). | બાળ ૨ વલાં વેવ, ચરિત્ત ર તવો તા .
एस मग्गो त्ति पण्णत्तो, जिणेहिं वरदंसीहि ॥ શબ્દાર્થ - વરસાર્દિ- શ્રેષ્ઠદર્શી, સંસારના સમસ્ત પદાર્થોને જોનારા, સર્વદર્શીવાર્દ = જિનેશ્વર ભગવંતોએ પાઈ = જ્ઞાન હંસ = દર્શન ચરિત્ત = ચારિત્ર તવો = તપ પણ = આ મો ત્તિ = મોક્ષમાર્ગ પર = પ્રરૂપિત કર્યો છે. ભાવાર્થ- સર્વદર્શી જિનેશ્વર ભગવંતોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ મોક્ષમાર્ગ પ્રરૂપ્યો છે.
णाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा ।
एयं मग्गमणुपत्ता, जीवा गच्छति सुग्गइं ॥ શબ્દાર્થ -પ = આ મr = માર્ગનું ગyપત્તા = આચરણ કરીને નવા = જીવો સુપારું = સુગતિ, મોક્ષ કચ્છતિ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ – જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગનું આચરણ કરીને જીવો સુગતિ પ્રાપ્ત કરે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં મોક્ષમાર્ગનું સંક્ષિપ્ત વર્ણન છે.
અષ્ટવિધ કર્મોનો સર્વથા ક્ષય થવો, તે મોક્ષ છે અને તીર્થંકર પ્રતિપાદિત સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું આચરણ કરવું એ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે.
R
:
1
0