SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર ૧૧૧ | કાર્યની અતિચાર શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. પરંતુ અહીં પ્રથમ પ્રહરની સ્વાધ્યાય ચાલુ જ રાખવાની છે, તેથી તેના અતિચારોનું પ્રતિક્રમણ કર્યા વિના જ પાત્ર પ્રતિલેખન કરવાનું કથન છે. સામાન્ય રીતે દિવસના પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થ ભાગમાં અર્થાત્ સૂર્યોદય પછી તુરંત જ સાધુ ભંડોપકરણનું પ્રતિલેખન કરે છે. તેમ છતાં દિવસના સંપૂર્ણ પ્રથમ પ્રહરમાં ગમે ત્યારે પ્રતિલેખન થઈ શકે છે, તેવું સૂચિત કરવા માટે સૂત્રકારે પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થભાગમાં ભંડોપકરણના પ્રતિલેખનનું કથન કર્યા પછી પ્રથમ પ્રહરના અંતિમ ચતુર્થભાગમાં પણ પાત્ર પ્રતિલેખનનું સૂચન કર્યું છે. પૂર્વોક્ત ગાથાઓમાં સામાન્યરીતે દિવસ-રાત્રિના કર્તવ્યનું કથન કરીને પ્રસ્તુત બે ગાથામાં દિવસના પ્રથમ પ્રહરની પ્રતિલેખના અને સ્વાધ્યાય રૂ૫ બે પ્રવૃત્તિઓની સ્પષ્ટતા કરી છે. પ્રતિલેખન વિધિઃ। मुहपत्तिं पडिलेहित्ता, पडिलेहिज्ज गोच्छगं । गोच्छगलइयंगुलियो, वत्थाई पडिलेहए ॥ શબ્દાર્થ - મુદત્તિ = મુખવસ્ત્રિકાની ભોજન-નયંતિ = પંજણી, રજોહરણ, દાંડી આ બધાને હાથની આંગળીઓ પર રાખીને જોછi = રજોહરણની પરિફિકન= પ્રતિલેખના કરે વસ્થારૂં = વસ્ત્રોની ડિપ = પ્રતિલેખના કરે. ભાવાર્થ:- સથી પ્રથમ મુહપત્તિનું પ્રતિલેખન કરે, ત્યાર પછી હાથની આંગળી પર ગોચ્છક– રજોહરણની દેશીઓ રાખીને, રજોહરણ અને તેની દાંડીનું પ્રતિલેખન કરે અને ત્યાર પછી વસ્ત્રોનું પ્રતિલેખન કરે. ४ उड्डे थिरं अतुरियं, पुट्वि ता वत्थमेव पडिलेहे । ન તો વિઠ્ય પોકે, તડ્ય ર પુણો પમરાજા | શબ્દાર્થ:- ૩૬ = ઉભડક આસનને બેસીને વસ્ત્રને ભૂમિથી ઊંચુ રાખીને થિર = સ્થિરતા અને દઢતાપૂર્વક વસ્ત્રને પકડીને અરિવું = ઉતાવળ ન કરતાં પુષ્યિ = પહેલા ત = તો વલ્યમેવ = વસ્ત્રનું પડિહે = પ્રતિલેખન કરે તો = ત્યાર પછી હિફ = બીજી વાર પોકે = ધીરે ધીરે વસ્ત્રને ખંખેરે પુણો = ફરી ત = ત્રીજી વખત પમાળા = કાળજીથી પ્રમાર્જન કરે. ભાવાર્થ - મુનિ ઉભડક આસને બેસીને (૧) વસ્ત્રને જમીનથી ઊંચુ રાખે (૨) વસ્ત્રને સ્થિરતાપૂર્વક મજબૂત પકડે (૩) ઉતાવળે-ઉતાવળે પ્રતિલેખન ન કરે (૪) વસ્ત્રના પ્રથમ છેડાથી અંતિમ છેડા સુધી પ્રતિલેખન કરે.(૫) વસ્ત્ર પર કોઈ જીવજંતુ હોય, તો તેને થોડું ખંખેરે (૬) ખંખેરતા જીવ ન ઉતરે તો પંજણીથી વસ્ત્રને પુજે. મુનિ આ છ પ્રકારના પ્રશસ્ત પ્રતિલેખનથી પ્રતિલેખન કરે. મિનિ ઉભડક આસને બેસીને વસ્ત્રને ઊંચુ રાખી પહોળું ફેલાવીને સ્થિરતાપૂર્વક બંને બાજુએ જોઈ લે અને તેના પર જીવજંતુ હોય તો યતનાપૂર્વક સુરક્ષિત સ્થાને તેને મૂકી દે. ત્યાર પછી યતનાપૂર્વક ધીમેથી વસ્ત્રને ઝાટકે; ઝાટકયા પછી કોઈ જીવજંતુ રહી જાય તો પંજણીથી પ્રમાર્જન કરે અને પુંજણી તથા હાથ પર આવી ગયેલા જીવજંતુને યતનાથી સુરક્ષિત સ્થાને મુકી દે.] । अणच्चावियं अवलियं, अणाणुबंधि अमोसलिं चेव । छप्पुरिमा णवखोडा, पाणीपाणि विसोहणं ॥
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy