SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૮ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ જાય છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. न तवस्सियं किसं दंतं, अवचिय मंस सोणियं । सुव्वयं पत्तणिव्वाणं, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ – તવસિયં = ઉગ્ર તપનું આચરણ દ્વારા જેનું વિસં = શરીરકૃશ થઈ ગયું છે અવસરોય = લોહી અને માંસ સુકાઈ ગયા છે તે = જેણે પાંચ ઇન્દ્રિયોનું દમન કર્યું છે પત્તપા = નિર્વાણ પ્રાપ્ત, કષાય અગ્નિને શાંત કરીને સુવ્ર = શ્રેષ્ઠ વ્રતવાળા હોય છે. તે = તેને વયં = અમે મા = બ્રાહ્મણ લૂમ = કહીએ છીએ. ભાવાર્થઃ- જે તપસ્વી છે, શરીરે કશ છે, ઇન્દ્રિયોનું દમન કરનાર છે. જેના શરીરમાં રક્ત માંસ સ્કાઈ ગયા છે, વ્રત-નિયમના પાલનથી સુવતી છે, જેના કષાય ઉપશાંત થઈ ગયા છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં બ્રાહ્મણના સામાન્ય-વિશેષ પરિચયાત્મક ગુણોનું સંકલન કરી બ્રાહ્મણનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ કર્યું છે. સંક્ષેપમાં તે ગુણો આ પ્રમાણે છે- (૧) જ્ઞાનીઓ દ્વારા દર્શાવેલા ગુણોથી યુક્ત (૨) બ્રાહ્મણ રૂપે લોક માન્ય (૩) અગ્નિવત્ સદા લોક પૂજ્ય (૪) સંયોગ અને વિયોગમાં રાગ અને શોકથી રહિત (૫) જિનાજ્ઞામાં લીન (૬) મેલ સંશોધિત સ્વર્ણ સમાન નિર્મલ (૭) કર્મબંધના મૂળભૂત કારણ રાગ-દ્વેષ અને ભયથી મુક્ત (૮) તપસ્વી (૯) કૃશ શરીરી (૧૦) દમિતેન્દ્રિય (૧૧) સાધના દ્વારા માંસ-લોહીને સૂકવી દેનાર (૧૨) સુવ્રતી (૧૩) ઉપશાંત કષાયી ઇત્યાદિ. શેષ વર્ણન શબ્દાર્થ ભાવાર્થમાં સ્પષ્ટ છે. બ્રાહ્મણ સ્વરૂપ: પાંચ મહાવ્રત ધારણ :म तसे पाणे वियाणेत्ता, संगहेण य थावरे । जो ण हिंसइ तिविहेणं, तं वयं बूम माहणं ॥ શદાર્થ:- નો = જે ત = ત્રસ ચ = અને થારે = સ્થાવર પ = પ્રાણીઓને સાહેબ = સંક્ષેપથી અને વિસ્તારથી સારી રીતે વિચાર = જાણીને તિવિદેખ = ત્રણ કરણ અને ત્રણ યોગથી જ હિંસડુ = તેની હિંસા કરતા નથી. ભાવાર્થ :- જે ત્રસ અને સ્થાવર જીવોને સંક્ષેપથી અને વિસ્તારથી જાણીને, ત્રણ કરણ અને ત્રણ યોગથી તેની હિંસા કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. રy oો વા કફ વા હતા, તો વા નક્ વા મા ! मुस ण वयइ जो उ, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ:- વોરાક્રોધથી ન વા= અથવા હાલ = હાસ્યથી નોટ = લોભથી ભય = ભયથી નો= જે ત્રણ કરણ, ત્રણ યોગથી મુસ = મૃષા જ વય = નથી બોલતો. ભાવાર્થ :- જે ક્રોધથી, હાસ્યથી, લોભથી કે ભયથી, અસત્ય ભાષણ કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy