SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનમાતા ૭૧ ] મૂકતા મુળી = મુનિ નં- આ વિર્દિ- વિધિનો પડકા = પ્રયોગ કરે. ભાવાર્થ:- મુનિરાજે સામાન્ય રીતે હંમેશાં રાખવાના “સામાન્ય ઉપકરણ' અને વિશેષ પરિસ્થિતિમાં ગ્રહણ કરાય તેવા “વિશેષ ઉપકરણ', આ બંને પ્રકારના ઉપકરણોને લેવા-મૂકવામાં નિમ્નોક્ત વિધિનો પ્રયોગ કરવો જોઈએ. चक्खुसा पडिलेहित्ता, पमज्जेज्ज जयं जई । आइए णिक्खिवेज्जा वा, दुहओ वि समिए सया ॥ શબ્દાર્થ -સમા = સમિતિવંત ગ = યતિ, સાધુ તથા = સદૈવ જય = યતનાપૂર્વક વઘુસી = આંખોથી પરિણિતા = જોઈને અને પોw = પ્રમાર્જન કરીને જુદો વ = બંને પ્રકારની ઉપધિને માફ = ગ્રહણ કરે વ = અથવા, તથા વિવેT = મૂકે. ભાવાર્થ - સમિતિવાન અને યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનારા મુનિ પૂર્વોક્ત બંને પ્રકારના ઉપકરણોને હંમેશાં આંખોથી પ્રતિલેખન (નિરીક્ષણ) કરીને, પ્રમાર્જન કરીને ગ્રહણ કરે અને મૂકે. વિવેચનઃ પ્રસ્તુત ગાથાઓમાં આદાન નિક્ષેપ સમિતિની શુદ્ધિનું કથન છે. આદાન = ગ્રહણ કરવું, નિક્ષેપ = મૂકવું. સંયમી જીવનમાં ઉપકરણો ગ્રહણ કરતાં અને નીચે મૂકતાં વિવેક રાખવો, તેને આદાન સમિતિ કહે છે. સાધુઓ સંયમ યાત્રાના નિર્વાહ માટે બે પ્રકારની ઉપધિનો ઉપયોગ કરી શકે છે– (૧) ઔધિક ઉપધિ અને (૨) ઔપગ્રહિક ઉપધિ. (૧) ઔદિક ઉપધિ - નિત્ય પ્રાણાના મુવત્રિ-રોહાનિ | સામાન્ય રીતે દરેક સાધુ હંમેશાં જેને ધારણ કરે, તેવા વસ્ત્ર, પાત્ર, મુહપત્તિ, રજોહરણ આદિ ઔદિક ઉપધિ કહેવાય છે. ૨) ઔપગ્રહિક ઉપથિ - ૩૫૨ણન | વિશેષ પરિસ્થિતિમાં સાધુ જેને ધારણ કરે તે પાટ, પાટલા, ઔષધિ આદિ પાઢીયારી ઔપગ્રહિક ઉપધિ કહેવાય છે. પડિદિત્તા પમા - ઉક્ત બંને પ્રકારની ઉપધિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉપકરણોને ગ્રહણ કરતાં કે નીચે મૂકતા પહેલાં પ્રથમ તેનું વ્યવસ્થિત રીતે અવલોકન કરવાને, જોવાને પ્રતિલેખન કહે છે. ત્યાર પછી તેના ઉપર કોઈ જીવજંતુ કે સચેત રજ આદિ હોય, તો તેને ગુચ્છા કે રજોહરણથી યતનાપૂર્વક દૂર કરવાને પ્રમાર્જન કહે છે. આ રીતે પહેલાં પ્રતિલેખન અને ત્યાર પછી પ્રમાર્જન, આ બંને ક્રિયા ક્રમશઃ થાય છે. પરિષ્ઠાપના સમિતિ:। उच्चारं पासवणं, खेलं सिंघाण जल्लियं । आहारं उवहिं देहं, अण्णं वावि तहाविहं ॥ શદાર્થ-જ્યારં = વડીનીત(મળ) પાલવ = પ્રસવણ, લઘુનીત(મૂત્ર) હેd = કફ લિથાણ - નાકનો મેલ ગાયં = શરીરનો મેલ આહારં = કારણવશ જે આહારને પરઠવો પડે તે આહાર કહું = જીર્ણ વસ્ત્રાદિ ઉપધિ = મૃત શરીર ના વિ = અથવા તવિક આ પ્રકારની અ = અન્ય કોઈ વસ્તુ પરઠવા યોગ્ય હોય. અને (રડું “લયમ યાકૂકરણો છે. સ '૨
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy