SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનમાતા [ ૯ ] શબ્દાર્થ - વોરે = ક્રોધમાણે = માના માથા = માયાય = અને તમે = લોભ રાતે = હાસ્ય પણ = ભય નોરણ = વાચાળતા સવાયા = ઉપયુક્ત રહેવું વિIR[ = વિકથાઓમાં. ભાવાર્થ - ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથાઓ અંગે સતત ઉપયોગયુક્ત થઈને ભાષાનો પ્રયોગ કરે. १० एयाइ अट्ठ ठाणाई, परिवज्जित्तु संजए । ___ असावज्ज मिय काले, भास भासिज्ज पण्णवं ॥ શબ્દાર્થ -પાછું = આ મદ્ રાણારું = આઠ સ્થાન(દોષ)ને વિશ્વાસુ = ત્યાગીને પૂર્વ = બુદ્ધિમાન સંગ = સંયમી, સાધુ વાને = યથા સમયે સાવર્ષા = નિરવદ્ય અને મય = પરિમિત મા = ભાષા માલિક = બોલે. ભાવાર્થ :- પ્રજ્ઞાશીલ સંયમી સાધુ આઠ(પૂર્વોક્ત) સ્થાનોને તજીને યથાસમયે દોષરહિત-નિરવદ્ય અને પરિમિત ભાષા બોલે. અર્થાત ઉપર્યુક્ત ક્રોધાદિ આઠ દોષોને છોડી સમયે-સમયે હિતમિત અને પાપ રહિત નિર્દોષ ભાષા બોલે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ભાષા સમિતિનું પ્રતિપાદન છે. વોરે માળે....- સાધુનું લક્ષ્ય વચનગુપ્તિનું અથવા મૌન રહેવાનું હોય છે. આવશ્યક કાર્ય અંગે બોલવાની જરૂર પડે ત્યારે સૂત્રોક્ત ક્રોધાદિ આઠ સ્થાનનો ત્યાગ કરીને નિરવધ ભાષા પ્રયોગ કરવાથી ભાષા સમિતિનું પાલન થાય છે. અન્ય જીવોની હિંસા ન થાય, દુઃખ ન થાય અને પોતાની સંયમ મર્યાદા જળવાઈ રહે તેવી ભાષા બોલવી, તે જ ભાષા સમિતિનું પ્રયોજન છે. ભાષાસમિતિના આ વર્ણનમાં ઇર્યાસમિતિની જેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના ભેદો દ્વારા વર્ણન નથી અને એષણાસમિતિ આદિમાં પણ તે રીતે ભેદ કર્યા નથી. આ રીતે અહીં પાંચે ય સમિતિના વર્ણનમાં ભેદ-પ્રભેદ કરવાની પદ્ધતિ જુદી-જુદી છે, વર્તમાનમાં શ્રમણ પ્રતિક્રમણના સમિતિ ગુપ્તિ સંબંધી સંકલિત પાઠમાં અને પ્રચલિત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના થોકડામાં સર્વત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ભેદ કરવામાં આવ્યા છે. તે માટે જુઓ– પરિશિષ્ટ-૩. અનાવિન્ગ = અસાવધ અર્થાતુ પાપ(દોષ) રહિત. ક્રોધાદિને વશ થઈને કે કોઈપણ પ્રકારના આવેશમાં બોલાતી ભાષા સાવધ ભાષા કહેવાય છે માટે મુનિએ બોલતી વખતે ક્રોધાદિના આવેશનો ત્યાગ કરવો જોઈએ અને કષાયવશ થઈને કંઈપણ બોલવું નહીં. એષણા સમિતિ: गवेसणाए गहणे य, परिभोगेसणा य जा । " आहारोवहि सेज्जाए, एए तिण्णि विसोहए ॥ શબ્દાર્થ :- મહારવદિસે = આહાર, ઉપધિ અને શય્યાની વેસTE = ગવેષણા ય = અને દિને = ગ્રહણેષણા, ગૃહસ્થને ત્યાંથી આહારાદિ ગ્રહણ કરતા સમયની શુદ્ધિ યર તથા પરિમો સTI
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy