________________
[ ૩૭૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પર મી ગાથામાં ક્ષત્રિયમુનિનો અભિપ્રાય એ છે કે જેમ પૂર્વોક્ત મહાન આત્માઓએ એકાંત ક્રિયાવાદ વગેરેને છોડીને જિનશાસનની શ્રદ્ધામાં દઢ થઈ આત્મકલ્યાણ કર્યું હતું, તે જ રીતે આપને (સંજયમુનિએ) પણ ધીર બની પોતાના ચિત્તને દઢ અને સ્વસ્થ બનાવી આત્મકલ્યાણ કરવું જોઈએ. ATM રિયાવસે – કુહેતુઓ વડે આત્માનું કેવી રીતે અહિત કરશે? અર્થાત્ આત્માને કુહેતુઓના સ્થાનમાં કેવી રીતે નિવાસ કરાવશે? તબ્બા લિખિમુદો :- દ્રવ્યથી ધન ધાન્યાદિ અને ભાવથી મિથ્યાત્વરૂપ ક્રિયાવાદ આદિ. આમ સમસ્ત સંગોથી મુક્ત થઈને. ઉપસંહાર:- તૃપ્તિ ત્યાગમાં છે, નિરાસક્તિમાં અને નિર્મોહ દશામાં છે તેથી ચક્રવર્તી જેવા સમ્રાટ રાજાઓ છ ખંડના અધિપતિ હોવા છતાં બાહ્યસંપત્તિનો ત્યાગ કરી, ત્યાગ-તપપ્રધાન સંયમ માર્ગનો સ્વીકાર કરી આત્મકલ્યાણ સાધી શક્યા હતા. આવા ઋદ્ધિ સંપન્ન રાજાઓના ત્યાગમય જીવનનું અધ્યયન અને ચિંતન કરીને દરેક આત્માએ આ મનુષ્યભવને ત્યાગ દ્વારા સફળ કરવો જોઈએ.
II અધ્યયન-૧૮ સંપૂર્ણ