SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ ભાવાર્થ :- પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ બ્રહ્મચર્ય સમાધિનાં કયાં કયાં દશ સ્થાન કહ્યાં છે? જેને સાંભળી. તેના અર્થનો નિર્ણય કરી, ભિક્ષુ સંયમબહુલતા, સંવરબહુલતા અને સમાધિબહુલતા; આમ, ઉત્તરોત્તર બહુલતા પ્રાપ્ત કરી મન, વચન, કાયાનું ગોપન કરે; ઈન્દ્રિયોને વિષયોથી વિરક્ત બનાવે, બ્રહ્મચર્યને ગુપ્તિદ્વારા સુરક્ષિત રાખે અને હંમેશાં અપ્રમત્તપણે સંયમભાવમાં વિચરણ કરે. ઉત્તર-તે દસ સ્થાન આ પ્રમાણે છે –જેને સાંભળી, તેના અર્થનો નિર્ણય કરી, ભિક્ષુ સંયમબહુલતા, સંવરબહુલતા, સમાધિબહુલતા પ્રાપ્ત કરી; મન, વચન, કાયાનું રક્ષણ કરે, ઇન્દ્રિયોને વિષયોથી વિરકત બનાવે, ગુપ્ત બ્રહ્મચારી બની સદા અપ્રમત્તપણે સંયમભાવમાં વિચરણ કરે છે. તે દસ સ્થાન ક્રમશઃ આ પ્રમાણે છે – વિવેચન :બ્રહ્મચર્ય સમાધિસ્થાનોની સુદઢતા સાધુને બ્રહ્મચર્ય સમાધિસ્થાનોની સુદઢતા માટે સૂત્રકારે નવ સૂત્રો કહ્યા છે. (૧) આ સ્થાનોનું સારી રીતે શ્રવણ (૨) અર્થ પર વિચાર (૩,૪,૫) સંયમ, સંવર અને સમાધિનો અધિકાધિક અભ્યાસ (૬) ત્રણ ગુપ્તિઓથી મન, વચન તેમજ શરીરનું ગોપન (૭) ઈન્દ્રિયોના વિષયોથી આત્માનું રક્ષણ (૮) નવવિધ ગુપ્તિઓથી બ્રહ્મચર્યની સુરક્ષા (૯) સદેવ અપ્રમત્ત અપ્રતિબદ્ધ વિહાર. બ્રહ્મચર્યના દસ સમાધિસ્થાન :(૧) ઉપાશ્રય વિવેક :| ३ विवित्ताई सयणासणाई सेवित्ता हवइ, से णिग्गंथे । णो इत्थी पसु पंडग संसत्ताई सयणासणाई सेवित्ता हवइ, से णिग्गंथे। तं कहमिति चे ? आयरियाह-णिग्गंथस्स खलु इत्थीपसुपंडग संसत्ताई सयणासणाई सेवमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे इत्थि पसुपंडग संसत्ताई सयणासणाई सेविज्जा । શબ્દાર્થ :- વિવિત્તડું - વિવકત. સ્ત્રી, પશુ અને નપુંસક રહિત, સM/MT$ - શય્યા અને આસન વગેરેનું, નિત્તા - સેવન કરે છે, જે - તે,fuથે -નિગ્રંથ, વડું થાય છે, ફલ્હી સુવડા સંસારું - જે સ્ત્રી, પશુ અને નપુંસક સહિત, નો ળિથે- નિગ્રંથ નથી, હરિ રે - આવું કેમ? તેનું શું કારણ?, માયરિયાદ - આચાર્ય ઉત્તર આપે છે કે, હજુ - નિશ્ચયથી, સેવાસ - સેવન કરનાર. બિપાંથસ - નિગ્રંથ, અંબારિસ - બ્રહ્મચારીનાં, મરે - બ્રહ્મચર્યમાં. સંવ ,
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy