________________
૧૪૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પાસે રહેતો અને ભોજન માટે પ્રતિદિન શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાં જતો હતો. શ્રેષ્ઠીને ત્યાં એક દાસી હતી જે કપિલને રોજ ભોજન પીરસતી હતી. ધીરે ધીરે બંનેનો પરિચય થઈ ગયો અને અંતે તે પ્રેમરૂપમાં પરિણત થયો. એક દિવસ દાસીએ કપિલને કહ્યું – તમે મારા સર્વસ્વ છો પરંતુ તમારી પાસે કંઈ પણ નથી. હુંનિર્વાહ માટે આ શેઠને ત્યાં રહું છું, અન્યથા આપણે સ્વતંત્રતાથી રહી શકીએ.
દિવસો પસાર થયા. એકવાર શ્રાવસ્તીમાં વિશાળ જનમહોત્સવ થવાનો હતો. ત્યાં જવાની દાસીની પ્રબળ ઈચ્છા હતી પરંતુ કપિલ પાસે મહોત્સવ યોગ્ય ધન કે સાધન વગેરે કાંઈ ન હતું. દાસીએ કહ્યુંઅધીરા ન બનો, આ નગરના ધનશેઠ પ્રાતઃકાળ સર્વપ્રથમ વધાઈ દેનારને બે માસા સોનું આપે છે. કપિલ સૌથી પહેલા પહોંચવા માટે મધ્યરાત્રિના જ ઘરથી નીકળી ગયો. નગરરક્ષકોએ તેને ચોર સમજી પકડી લીધો અને પ્રસેનજિત રાજા પાસે ઉપસ્થિત કર્યો. રાજાએ રાત્રિના નીકળવાનું કારણ પૂછયું, તો તેણે સાચી વાત સ્પષ્ટ કહી દીધી. રાજા કપિલની સરળતા અને સ્પષ્ટવાદિતા ઉપર પ્રસન્ન થઈ ગયા. તેણે કપિલને કહ્યું– તમારી જે ઈચ્છા હોય તે માંગો, હું તમારી બધી ઈચ્છા પૂર્ણ કરીશ. કપિલે થોડા વિચાર કરીને આવું છું એમ કહીને બાજુની અશોકવાટિકામાં ગયો. ઘણા સમય સુધી ખૂબ વિચાર કર્યો કે શું અને કેટલું માંગું? પરંતુ કંઈ નિર્ણય ઉપર આવી શકયો નહીં. કપિલના વિચારમાં બે માસા સોનાને બદલે ક્રમશઃ આગળ વધતાં કરોડો સુવર્ણમુદ્રા માંગવાની ઈચ્છા થઈ પણ તેને સંતોષ ન થયો, તૃપ્તિ કેમે ય થતી ન હતી. અંતે તેની ચિંતનધારાએ દિશા બદલી. લોભને બદલે મુખ પર ત્યાગનું તેજ ઝબકવા લાગ્યું. સંતોષની મુદ્રામાં તે પ્રસેનજિત રાજા પાસે પહોંચ્યો અને કહ્યું – રાજનું! આપની પાસેથી કશું લેવાની ઈચ્છા નથી. જે મેળવવાની ઈચ્છા હતી, તે મને મળી ગયું છે, હવે મારે કોઈની પાસેથી કંઈ જોઈતું નથી. સંતોષ, ત્યાગ અને અનાકાંક્ષાએ મારો માર્ગ પ્રશસ્ત બનાવી દીધો છે. રાજા પાસેથી નીકળી નિગ્રંથ થઈને તેઓ દૂર જંગલમાં ચાલ્યા ગયા, સાધનામાં લીન બની ગયા. છ માસ સુધી સંયમતપની આરાધના કરતાં ધર્મ ધ્યાનમાં રહેતાં તે કપિલ મુનિને કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થયું અને અંતે સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધ થયા.
આ અધ્યયનનો પ્રારંભ સંવાદ રૂપે વૈરાગ્યસભર ઉપદેશથી થયો છે, પછી ક્રમશઃ સંયમચર્યાના દોષોથી સાવધાન રહેવાનો ઉપદેશ છે અને અંતે કપિલમુનિની જીવન ઘટનાને સંક્ષિપ્તમાં અંક્તિ કરી લોભ ત્યાગ અને સ્ત્રીસંગ વિરક્તિનો ઉપદેશ છે. આ અધ્યયનના વિષયમાં એવી અનુશ્રુતિ કે દંતકથા છે કે કપિલમુનિએ આ ઉપદેશ ચોરોને આપ્યો હતો.
000