SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૪: અસંસ્કૃત . [ ૮ ૭] છે, તેમ પાપકર્મી જીવ પોતાનાં કરેલાં કર્મોનું ફળ પોતે જ ભોગવે છે. ધનની અશરણતા :। वित्तेण ताणं ण लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था । दीवप्पणढे व अणंत मोहे, णेयाउयं दद्रुमदठुमेव ॥५॥ શબ્દાર્થ - મિત્તે પ્રમાદી પુરુષ, રૂમ =આ, તો - લોકમાં, મહુવા = અથવા, પરસ્થા - પરલોકમાં, વિષ - ધનથી, તા - શરણ, ન તમે - પામતો નથી, વિપક્વ - દીપક બુઝાઈ ગયેલા વ્યક્તિની જેમ, અછત નોદે = અનંત મોહવાળા, અજ્ઞાની પ્રાણી, જયારેયં = ન્યાયયુક્ત મુક્તિ માર્ગને, હું ન જોઈને પણ, ગર્વમેવ ન જોયા બરાબર થઈ જાય છે. ભાવાર્થ :- પ્રમાદી જીવ આ લોક કે પરલોકમાં ધન વડે રક્ષણ પામતો નથી. અંધારામાં દીવો બુઝાઈ ગયા પછી અજવાળામાં જોયેલો માર્ગ પણ દેખાતો નથી. તેવી જ રીતે પ્રમાદી વ્યક્તિ અનંત મોહના કારણે જ્ઞાનદીપ બુઝાઈ ગયો હોવાથી મોક્ષમાર્ગને જોવા છતાં પણ દેખતો નથી. વિવેચન :હીવખ્યા વ:- દીવ શબ્દના સંસ્કૃતરૂપ બે થાય છે– દ્વિીપ અને દીપ. (૧) સમુદ્રમાં ડૂબતા માનવને આશ્રય આપે, તે દીપ તથા (૨) અંધકારમાં પ્રકાશ કરનારા પ્રકાશદીપ. અહીં પ્રકાશદીપ અર્થમાં રીવ શબ્દ પ્રયુક્ત છે. ઉદાહરણ :- કોઈ ધાતુવાદી ધાતુની પ્રાપ્તિ માટે ગુફામાં ઊતર્યો. તેની પાસે દીપક, અગ્નિ અને બળતણ હતાં. પ્રમાદવશ દીપક બુઝાઈ ગયો, અગ્નિ પણ બુઝાઈ ગયો. હવે તેને ગાઢ અંધકારમાં પ્રથમ જોયેલો માર્ગ પણ દેખાતો નથી. એ જ રીતે આ જીવ પણ કર્મના ક્ષયોપશમ દ્વારા મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને પણ ધનની આકાંક્ષા અને આસક્તિના કારણે થતાં દર્શનમોહનીયકર્મના ઉદયથી, મોક્ષમાર્ગ તેને માટે અદષ્ટ જેવો જ બની જાય છે અર્થાત્ મિથ્યાત્વને પ્રાપ્ત કરી લે છે, સમકિતને ગુમાવી દે છે. અપ્રમત જીવનની પ્રેરણા :| सुत्तेसु यावि पडिबुद्धजीवी, णो वीससे पंडिए आसुपण्णे । घोरा मुहुत्ता अबलं सरीरं, भारंड-पक्खी व चरेऽप्पमत्तो ॥६॥ શબ્દાર્થ - - ભાવથી સૂતેલાં લોકોની વચ્ચે, જીવ પણ, યુદ્ધ નવી - ભાવથી જાગૃત સંયમી, આલુપum - બુદ્ધિમાન, આશુપ્રજ્ઞ, પ્રત્યુત્પનમતિ, લિપ - પંડિત મુનિ, જે વસ - પ્રમાદ આચરણમાં વિશ્વાસ કરતો નથી, મુહુ- કાળ મૃત્યુ, વોરા - ઘોર, અનુકંપા રહિત છે, શરીર - શરીર, અવત- નિર્બળ, ક્ષણભંગુર, બારડ-પfહી વ- ભાખંડ પક્ષીની જેમ, અપ્રમત્તો- પ્રમાદ રહિત બની, સાવધાનીપૂર્વક, વર - વિચરણ કરવું જોઈએ.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy