SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૯૬ | શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર સંખ્યા ગ્રહણ કરવી.) તે ૧૦ સંખ્યા વડે ૧૮૩ સાથે ગુણાકાર કરતાં(૧૮૩ ૪ ૧૦ =) ૧૮૩૦ આવ્યા. હવે ૧૦ વડે ગુણાકાર કર્યો હતો તેથી તે ૧૦ને ત્રણ ગુણા કરી ૧ ઉમેરતા(૧૦ x ૩+ ૧ =) ૩૧ પ્રાપ્ત થાય તેને ૧૮૩ની ગુણનરાશિ ૧૮૩૦માં ઉમેરતા(૧૮૩૦ + ૩૧ =) ૧૮૧ - ૧૫ = ૧૨૪ આવે છે. તેમાં ૧૨૪ સંખ્યા પર્વ સૂચક છે કે પૂર્વ યુગના ૧૨૪ પર્વ વ્યતીત થયા પછી અર્થાત્ નવા યુગના પ્રથમ પર્વમાં અને ૧૨૪ સંખ્યા સમસંખ્યક હોવાથી કૃષ્ણપક્ષનું ગ્રહણ થાય છે તથા પ માં શેષ વધેલી એક સંખ્યા એકમ તિથિ સૂચક છે, આ રીતે નવા યુગના પ્રથમ માસ(શ્રાવણ માસ)ની કૃષ્ણપક્ષની પ્રતિપદા–એકમના દિવસે પ્રથમ આવૃત્તિનો પ્રારંભ થાય છે, તેમ સમજવું. દક્ષિણાયનવાળી પાંચે આવૃત્તિનો પ્રારંભ શ્રાવણ મહિનામાં થાય છે. યુગની ત્રીજી(દક્ષિણાયનવાળી બીજી) આવૃત્તિની તિથિ :- યુગની ત્રીજી આવૃત્તિ હોવાથી ૩ સંખ્યા ગ્રહણ કરી તેમાંથી ૧ બાદ કરતાં(૩–૧ =) ૨ સંખ્યા વધે છે, તે ૨ વડે ૧૮૩ને ગુણતા ૧૮૩ ૪ ૨ = ૩૬, હવે રને ૩ ગુણા કરી ૧ ઉમેરતા(૨ ૪૩ = ૬+ ૧ =) ૭ પ્રાપ્ત થાય, તેને ૩૬૬માં ઉમેરતા ૩૬+ ૭ = ૩૭૩ + ૧૫ = ૨૪ 33 પ્રાપ્ત થાય છે, તેથી ૨૪ પક્ષ અર્થાત્ ૧૨ માસ વ્યતીત થયા પછી અર્થાત્ બીજા વરસના પ્રારંભે, શેષ તેર હોવાથી તેરસ ગ્રહણ થતાં શ્રાવણ વદ-૧૩ના બીજી આવૃત્તિ શરૂ થાય છે. આ રીતે તિથિ કાઢતા પૂર્વોક્ત પાંચે આવૃત્તિની તિથિઓ પ્રાપ્ત થાય છે. આ જ ગણિત પ્રક્રિયા દ્વારા હેમંત ઋતુ કાલીન (ઉત્તરાયણની) પાંચ આવૃત્તિનો પ્રારંભ મહાવદ-૭, મહાસુદ-૪, મહાવદ-૧, મહાવદ-૧૩, મહાસુદ-૧૦થી થાય છે. આવૃત્તિના પ્રારંભ સમયે ચંદ્ર-સૂર્ય યોગ :- યુગની પ્રથમ આવૃત્તિના પ્રારંભ સમયે ચંદ્ર અભિજિત નક્ષત્ર સાથે યોગ કરે છે. એક યુગમાં ચંદ્રના નક્ષત્ર પર્યાય ૬૭ થાય છે અર્થાત્ એક યુગમાં ચંદ્ર ૨૮ નક્ષત્રોને ૭ વાર ભોગવે છે. એક યુગમાં સૂર્યના નક્ષત્ર પર્યાય ૫ થાય છે અર્થાત્ એક યુગમાં સૂર્ય ૨૮ નક્ષત્રોને પાંચવાર ભોગવે છે. સૂર્યયુગની સમાપ્તિ સમયે ઉત્તરાષાઢા નક્ષત્રનો ચંદ્ર સાથેનો યોગ પૂર્ણ થાય છે, તેથી નૂતન યુગના પ્રારંભ સમયે અભિજિત નક્ષત્ર સાથેના યોગનો પ્રારંભ થાય છે અર્થાત્ તે સમયે અભિજિત નક્ષત્ર સાથેના યોગકાળનો પ્રથમ સમય હોય છે. પૂર્વના યુગની સમાપ્તિ સમયે સૂર્યનો પુષ્ય નક્ષત્ર સાથેનો યોગ ચાલુ જ હોય છે. પુષ્ય નક્ષત્રનો સૂર્ય યોગકાળ ૪૦૨ મુહૂર્ત એટલે ૧૩ અહોરાત્ર અને ૧૨ મુહૂર્તનો છે. તેમાંથી ૧૩૮ મુહૂર્ત(૪ અહોરાત્ર અને ૧૮ મુહૂર્ત) વ્યતીત થાય અને ૨૬૪ મુહૂર્ત(૮ અહોરાત્ર અને ૨૪ મુહૂત) શેષ હોય ત્યારે નવા યુગની પ્રથમ આવૃત્તિનો પ્રારંભ થાય છે. પ્રસ્તુત સૂત્રમાં આવૃત્તિના પ્રારંભ કાળે સૂર્યના પુષ્ય નક્ષત્ર સાથેના યોગના ૧૯૩, હું મુહૂર્ત શેષ કહ્યા છે, તે સૂર્ય સાથે ચંદ્ર નક્ષત્રના યોગની અપેક્ષાએ કહ્યા છે. સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે આવૃત્તિના પ્રારંભ સમયથી ૨૬૪ મુહૂર્ત પર્યત યોગમાં રહે છે. ચંદ્ર પુષ્ય નક્ષત્ર સાથે ૩૦ મુહૂર્ત પર્યત યોગમાં રહે છે. તે બંનેને ગુણતા(૨૬૪ x ૩૦ =) ૭૯૨૦ મુહૂર્ત પ્રાપ્ત થાય છે, સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે ૪૦ર મુહૂર્ત પર્યત યોગમાં રહે છે, તે રાશિથી ભાગતા(૭૯૨૦ + ૪૦ર = ૧૯ મુહૂર્ત પ્રાપ્ત થાય છે, તેમાંથી 36 ના બાસઠીયા ભાગ કરવા તેને બાસઠથી ગુણતા ( 3x ૬૨ =૭૪૪.) ૪૩ ક્લબાસઠીયા ભાગ પ્રાપ્ત થાય છે, તેમાંથી ક્લના સડસઠીયા ભાગ કરવા તેને સડસઠથી ગુણતા(3x ૬૭ 18) = ૩૩ સડસઠીયા ભાગ પ્રાપ્ત થાય છે. આ રીતે ૧૯, શું મુહૂર્ત પ્રાપ્ત થાય છે.
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy