SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાભૂત-૪ एगे पुण एवमाहंसु-ता वलभीसंठिया चंदिम-सूरियसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-ता हम्मियतलसंठिया चंदिम-सूरियसंठिई पण्णत्ता । एगे पुण एवमाहंसु-ता बालग्गपोइयासंठिया चंदिम-सूरियसंठिई पण्णत्ता, एगे एवमाहंसु । ૯૧ ભાવાર્થ: પ્રશ્ન- ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ અર્થાત્ સામસામી દિશામાં રહેલા બંને ચંદ્ર અને બંને સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર કેવો છે ? ઉત્તર− તેના સંસ્થાન વિષયક અન્યતીર્થિકોની સોળ પ્રતિપત્તિઓ (માન્યતાઓ) કહી છે, યથા— (૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર સમ ચતુરસ છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર વિષમ ચતુરસ છે. (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર સમ ચતુષ્કોણ છે. (૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર વિષમ ચતુષ્કોણ છે. (૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર સમ ચક્રવાલ(સમગોળાકાર) છે. (૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર વિષમ ચક્રવાલ છે. (૭) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર ચક્રાર્ય ચક્રવાલ છે. (૮) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર છત્રાકાર છે. (૯) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર ગૃહાકાર છે. (૧૦) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર ગૃહાપણ(ઘરની સાથે દુકાન)ના આકાર જેવો છે. (૧૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર પ્રાસાદ(મહેલ)ના આકાર જેવો છે. (૧૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર ગોપુર(દરવાજા) જેવો છે. (૧૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર પ્રેક્ષાગૃહ જેવો છે. (૧૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર વલભીગૃહ(ઘરની ઉપરનો ભાગ– અગાસી) જેવો છે. (૧૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર હર્મ્સતલ(હવેલીની ઉપરનો તલભાગ) જેવો છે. (૧૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર બાલાગ્રપોતિકા(તળાવાદિનાં ક્રીડાસ્થાન, બાળકોનાં ક્રીડાસ્થાન અથવા લઘુ પ્રાસાદ જેવો છે. ચંદ્ર-સૂર્યની વચ્ચેના ક્ષેત્રનો આકાર : ३ तत्थ जे ते एवमाहंसु - ता समचउरंस संठिया चंदिम-सूरियसंठिई पण्णत्ता, एएणं गएणं णेयव्वं णो चेव णं इयरेहिं ।
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy