SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ દર | શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર | સર્વ બાહ્ય મંડળ લવણસમુદ્રમાં ૩૩0 યોજન દૂર છે. તેથી જંબૂઢીપ વ્યાસમાં ૩૩૦+ ૩૩૦ કુલ દ0 યોજન ઉમેરતા ૧,૦૦,૦૦૦ + ૬૦ = ૧,૦૦,૬0 યોજન પ્રાપ્ત થાય છે, તે સર્વ બાહ્ય મંડળની લંબાઈ-પહોળાઈ છે. પ્રત્યેક સૂર્યમંડળની લંબાઈ-પહોળાઈની હાનિ-વૃદ્ધિનો ધુવાંક:- દક્ષિણાયનમાં સૂર્ય પ્રત્યેક મંડળ ની લંબાઈ-પહોળાઈમાં પરૂ યોજન વૃદ્ધિ કરે છે; તે આ પ્રમાણે છે– એક મંડળથી બીજું મંડળ ૨ યોજન દૂર છે, બંને બાજુના ૨-૨ યોજન = ૪ યોજન અને પ્રત્યેક મંડળ માર્ગ યોજન પહોળા છે; બંને બાજુના મંડળ માર્ગની પહોળાઈ ૬+ જ = ૧ ગ્રામ યોજન ઉમેરતા (૪ + ૧ ગ્રામ યોજન =) ૫ ગ્રામ યોજન પ્રાપ્ત થાય છે. પ્રત્યેક મંડળે મંડળની લંબાઈ-પહોળાઈમાં(વ્યાસમાં) ૫ ૬ યોજનની વૃદ્ધિ થાય છે. ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળે તેટલી જ(૫ યોજનની) હાનિ થાય છે. સ ભ્યતર-સર્વબાહ્ય સૂર્ય મંડળની પરિધિ - સર્વાત્યંતર મંડળનો વ્યાસ-લંબાઈ પહોળાઈ ૯૯,૬૪૦ યોજન છે. સાધિક ત્રિગુણકરણ પદ્ધતિએ તેની પરિધિ કાઢતાં ૩,૧૫,૦૮૯ યોજન થાય છે અને સર્વ બાહ્ય મંડળની લંબાઈ-પહોળાઈ ૧,૦૦, 0 યોજન છે, તેથી પરિધિ ૩,૧૮,૩૧૫ યોજન થાય છે. પ્રત્યેક સૂર્ય મંડળની પરિધિ હાનિવૃદ્ધિનો ધાક - દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળે, લંબાઈ પહોળાઈ ૫ યોજન વધે છે. આ વર્ધિત ક્ષેત્રની પરિધિ કાઢીએ તો લગભગ ૧૭ યોજન આવે છે, તેથી પ્રત્યેક મંડળે પરિધિમાં ૧૭યોજનની વૃદ્ધિ થાય છે અને ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળે ૧૭યોજનની હાનિ થાય છે. સૂત્રકારે સુગમતા માટે સ્થૂલ વ્યવહારનયથી ૧૮ યોજનની વૃદ્ધિ કરવાનું કહ્યું છે. જેમ કે પ્રથમ મંડળની ૩,૧૫,૦૮૯ યોજન પરિધિમાં ૧૮ યોજન ઉમેરતા બીજા મંડળની પરિધિ ૩,૧૫,૧૦૭ યોજન પ્રાપ્ત થાય છે. આ રીતે ૧૮, ૧૮ યોજનની વૃદ્ધિથી ૧૮૩ મંડળમાં ૧૮૩ મંડળ x ૧૮ = ૩,૨૯૪ યોજનની વૃદ્ધિ થાય છે. પ્રથમ મંડળની પરિધિ ૩,૧૫,૦૮૯ યોજન છે, તેમાં ૩,ર૯૪ યોજનની વૃદ્ધિને ઉમેરતા ૩,૧૮,૩૮૩ યોજન સર્વ બાહ્ય મંડળની પરિધિ થાય છે પરંતુ સૂત્રકારે છઠ્ઠા સૂત્રમાં સર્વ બાહ્ય મંડળની પરિધિ૩,૧૮,૩૧૫ યોજન કહી છે. તેથી સ્પષ્ટ થાય છે કે પરિધિમાં ૧૮ યોજનની વૃદ્ધિનું કથન વ્યવહારની અપેક્ષાએ છે. વાસ્તવિક રીતે પ્રત્યેક મંડળની પરિધિમાં ૧૭ યોજનની વૃદ્ધિ થાય છે. આ રીતે ગણના કરતા ૧૮૩ મંડળે ૧૮૩ ૪ ૧૭ = ૩રરપ યોજનની વૃદ્ધિ થાય છે, મંડળની પરિધિ ૩,૧૫,૦૮૯ + ૩રર૫ = ૩,૧૮,૩૧૪ યોજન થાય છે, પરંતુ સૂત્રકારે ગણિતની સૂક્ષ્મ પ્રક્રિયાના આધારે અંતિમ મંડળની પરિધિ ૩,૧૮,૩૧૫ યોજનની કહી છે. સૂત્રકારે સૂત્ર ૩, ૪, પમાં સર્વાત્યંતર ત્રણ મંડળની પરિધિનું કથન ૧૮ યોજનની વૃદ્ધિની અપેક્ષાએ કર્યું છે અને સુત્ર ૬, ૭, ૮માં સર્વ બાહ્ય મંડળ ત્રણની પરિધિનું કથન ૧૭ યોજનની વૃદ્ધિની અપેક્ષાએ કર્યું છે. ૧૮ યોજન વૃદ્ધિ અને ૧૭યોજન વૃદ્ધિથી પ્રાપ્ત પ્રત્યેક મંડળની પરિધિ માટે જુઓ પરિશિષ્ટ-૯. સૂર્યના ૧૮૪ મંડળનું કોષ્ટક
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy